________________
કેળવણી
૩૦૭
- ઈ. સ. ૧૯૨૦ માં કેળવણીના મુક્ત પ્રયોગ કરવાને અવકાશ વધારવાને આ સંસ્થાએ મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષાનું ધ્યેય છેડયું. એના વિનયમંદિરની સુવાસ ગુજરાત બહાર પ્રસરેલી. રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજીએ એ જોયેલી. આ સંસ્થાએ બાલ-શિક્ષણ અને બાલ-સાહિત્ય ક્ષેત્રો નવી ભાત પાડતાં પુસ્તકોનાં સજન-પ્રકાશન કર્યા છે.
કેળવણીને બીજો ધપાત્ર પ્રયોગ ગુજરાતમાં પેટલાદ બેડિંગ હાઉસ'નું સંચાલન કરતા કર્તવ્યપરાયણ અને કાર્યદક્ષ મુખ્ય શિક્ષક શ્રી મોતીભાઈ અમીને કર્યો. એમનું સૌથી મહત્ત્વનું કાર્ય પુસ્તકાલય પ્રવૃત્તિના પિતા' તરીકેનું છે, જે એમણે ૧૯૦૬ માં શરૂ કરેલું. ગુજરાતમાં મોન્ટેસરી પદ્ધતિનું પ્રથમ બાલમંદિર ૧૯૧૫ માં એમણે વસો(તા. પેટલાદ)માં સ્થપાવેલું. એમણે ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના(ઈ. સ. ૧૯૧૬) માં મહત્ત્વને ફાળે આવે અને શિક્ષણમાં સહાયરૂપ થાય તેવાં કેટલાંક પુસ્તક પ્રસિદ્ધ કર્યા
અમદાવાદની પ્રાયટરી હાઈસ્કૂલમાં પણ આ અરસામાં રાષ્ટ્રિય શાળા ગણાતી. એના સ્થાપકે જીવણલાલ દીવાન અને બલુભાઈ ઠાકરે ગુજરાતના જાહેર જીવનને ઘણા તેજસ્વી વિદ્યાથી આવ્યા છે.૧૪ ગુજરાતને ઘડવામાં એના શિક્ષકને મોટે ફાળો છે. ગુજરાતમાં માત્ર કોલેજના અધ્યાપકો જ નહિ, માધ્યમિક શાળાના શિક્ષકો પણ ઉત્તમ પાકયા છે.૧૫
ગાંધીજીએ શ્રમનું ગોરવ કરતી અને જિવાતા જીવન સાથે સંધાન કેળવતી શિક્ષણ પદ્ધતિને પુરસ્કાર કર્યો. એમણે દક્ષિણ આફ્રિકામાં કરેલા કેળવણીના પ્રયોગ અમદાવાદની આશ્રમશાળામાં ચાલુ રાખ્યા. કેળવણીના પ્રયોગ અંગે પોતે કરેલા અખતરાઓના પરિણામે તેઓ નીચેના નિર્ણય પર આવેલા :
(૧) સ્વભાષામાં-ગુજરાતી મારફતે જ કેળવણી આપવી. (૨) રાષ્ટ્રભાષા તરીકે હિંદી-હિંદુસ્તાનીની દેશને જરૂર છે.
(૩) બૌદ્ધિક શિક્ષણ જેટલી જ સ્વાશ્રયી કેળવણીની જરૂરિયાત છે, જેને સર્વાગી કેળવણી કહેવાય ને જેમાં વિવિધ ઉદ્યોગે શીખવાય.
(૪) અક્ષરજ્ઞાન આપતાં પહેલાં બાળકને ચિત્રકામ આપવું, એ સાથે ભજન-પ્રાર્થના દ્વારા સંગીતના સંસ્કાર વિકસાવવા.*
(૫) કેળવણીનું યેય વિદ્યાર્થીનું ચારિત્ર્ય ઘડવાનું અને એને ઉત્તમ નાગરિક બનાવવાનું છે. આ એક જ મુદ્દો સૌથી મહત્ત્વનું ગણાય.