________________
૨૧૮
બ્રિટિશ કાલ
ડે. હરિ હર્ષદ ધ્રુવ, અંબાલાલ સાકરલાલ દેસાઈ, ડે. ત્રિભુવનદાસ ગજજર, ત્રિભુવનદાસ માળવી, મંચેરશા કેકોબાદ વગેરે. આ બધા નેતાઓ મુખ્યત્વે વિનીત (વાળ) વિચારસરણીમાં માનનારા હતા. મુંબઈમાં આ પ્રથમ અધિવેશનમાં કુલ ૭૨ પ્રતિનિધિઓમાંથી ૩૬ તે મુંબઈ પ્રાંતના જ હતા. એ ૩૬ માં મુંબઈના ૧૮, પુણેના ૮, સુરતના ૬, અમદાવાદના ૩ અને વિરમગામના ૧ પ્રતિનિધિને સમાવેશ થતો હતો. આમ આ પ્રથમ અધિવેશનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ (૧૪ ટકા) અન્ય પ્રદેશની સરખામણીમાં સારું હતું. ગુજરાતને રાષ્ટ્રિય એકતા અને સંગઠન વિશે પ્રથમથી જ કેટલે રસ હતો તથા એ અંગે કેટલી જાગૃતિ હતી એને ખ્યાલ આના પરથી આવે છે. ૧૮
રાષ્ટ્રિય મહાસભાની સ્થાપનામાં સક્રિય ભાગ લેનાર ઉપર્યુક્ત નેતાઓમાં, દાદાભાઈ નવરોજીને ભારતીય રાષ્ટ્રિય ચળવળના ભીષ્મ પિતામહ ગણવામાં આવે છે. તેઓ એમનાં કાર્યોને લીધે હિંદના દાદા' તરીકે ઓળખાતા હતા. એમણે અંગ્રેજોની સામ્રાજ્યવાદી નીતિ અને આર્થિક શોષણ કરવાની કુટિલ નીતિને પારખી લીધી હતી, તેથી એમણે ભારતની પ્રજાને આત્મભાન કરાવી આત્મગૌરવ ઉત્પન્ન થાય તેવાં પગલાં લીધાં હતાં. મહાસભાના આરંભકાલથી માંડીને ૧૯૦૬ ની કલકત્તાની બેઠકમાં એમણે સ્વરાજ્યને મંત્ર આપે ત્યાંસુધીના આખા સમય દરમ્યાન તેઓ મહાસભાની પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ ભાગ લેતારહ્યા હતા. ૧૮૮૬માં રાષ્ટ્રિય મહાસભાના કલકત્તામાં યોજાયેલા બીજા જ અધિવેશનમાં દાદાભાઈને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. પછી તો તેઓ બ્રિટિશ સંસદના સભ્ય પણ બન્યા હતા. ૧૮૯૩ અને ૧૯૦૬ માં એમને ફરીથી મહાસભાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. એમનાં કાર્યોથી ગુજરાત અને ભારતની પ્રજાના કાર્યકરો અને નેતાઓને પ્રેરણા મળી હતી.
૧૮૮૯ માં મહાસભાનું પાંચમું અધિવેશન મુંબઈમાં મળ્યું ત્યારે સમિતિના પ્રમુખ તરીકે ફીરોજશાહ મહેતા હતા, જેમને બીજે જ વર્ષે ૧૮૯૦માં કલકત્તા અધિવેશનમાં મહાસભાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. દાદાભાઈ નવરોજી પછી રાષ્ટ્રિય મહાસભાના મહત્વના નેતા તરીકે ફીરોજશાહ મહેતા આગળ આવ્યા હતા. ૧૮૮૯ના વર્ષના મુંબઈના અધિવેશનમાં કુલ ૧,૮૮૯ પ્રતિનિધિ હાજર. રહ્યા હતા તેઓમાં મુંબઈ અને સિંધના સૌથી વધારે (૨૧) પ્રતિનિધિ હતા. ૧૯
રાષ્ટ્રિય મહાસભા એવી અસરકારક બની રહી હતી કે ભારત સરકારના વિદેશ વિભાગે પણ ગુજરાતનાં દેશી રાજ્ય એમાં ભાગ લે છે એવી બાતમી ઉપરથી મુંબઈની સરકારને સાવધાન રહેવા ૭ નવેમ્બર, ૧૮૮૯ના રોજ પત્ર