________________
૪૦૮]
મુઘલ કાલ
[y.
જવાના રસ્તે, દસક્રોઈ તાલુકામાં જેતલપુર આવેલું છે તેનું વર્ણન મેન્ડેએ કર્યું છે. આ બાગ એનાં ૧૫ વર્ષ પૂરાં કરે તે પહેલાં એણે હતો; એણે કહ્યું છે કે બાગ સુંદર જગાએ હતો, એમાં ઉત્તમ ફળ પાકતાં હતાં ને એ દિીને કાંઠે હતો. એમાં અનેક શમિયાણા હતા. ત્યાં મુસાફિર સરાઈ(મુસાફરખાનું) ' હતી. નાર ગી લીંબુ દાડમ ખજૂર બદામ–મલબારી આંબલી કેરી વગેરે અનેક પ્રકારનાં વૃક્ષ હતાં અને એને એટલાં પાસે પાસે વાવેલાં કે એની છાયા નીચે સૂર્યના તાપને જોયા સિવાય આખા બાગમાં ફરી શકાય
અમદાવાદની ઉત્તરે ૬૦ વીઘા જમીનમાં નદીકિનારે રુસ્તમબાગ કરેલે હતો. એમાં ૪ ઇમારતો, ૬ કૂવા, ૪ બેઠકો ને પથ્થરને દરવાજો હતો. આ બાગ પાસે સમય જતાં શાહીબાગ વ. જહાંગીરે સુરતમબાગમાં આનંદ કરેલો. આ બાગ સૂબેદાર શાહજાદા મુરાદે પિતાના પુત્ર સુરતમના નામથી બનાવ્યો હતા. એ શાહીબાગની પૂર્વ બાજુએ ખડ઼ગધારેશ્વર બાજુ આવ્યો હશે.
| મુઘલ સમયમાં થયેલા બાગમાં શાહીબાગનું સ્થાન સૌથી આગળ પડતું છે, કારણ કે ત્યાં શાહજહાંએ પિતાના માટે મહેલ બંધાવ્યો, જે આજે ગુજરાત રાજ્યના રાજ્યપાલના નિવાસસ્થાન તરીકે હજીયે વપરાય છે. આ શાહીબાગ, મકસદપુરની જમીનમાં બંધાયેલ છે. એને શાહજહાંના હુકમથી ખરીદવામાં આવેલો, ઈડરિયા દરવાજા(દિલ્હી દરવાજા)ની સામે નદીની બાજુએ કેટલાંક મકાન, કમાન, બેઠકે, ૧૨ બુરજ, ૯૧ કૂવા તેમજ મકાનો ફ તી નહેર સાથે બધી મળીને ૧૦૫ વીઘાં ને ૩ વસા જમીનમાં એ બાંધવામાં આવેલ. અહીંથી હાજીપુરના દરવાજા સુધી રસ્તાની બંને બાજુએ ઊંચાં વૃક્ષ રોપેલાં હતાં ને એની પાછળ સુબેદાર અને ઉમરાવોનાં ઉદ્યાન હતાં. સમગ્ર વિસ્તાર લીલેરીથી મનહર લાગત. આને માટે રાજ્યના ખર્ચે ૧૦૦ જેડ બળદ પાણી સી ચતા. ૭૦ ભાળી, રખવાળ, ખજાનચી, સાત વાળનાર અને સાત પટાવાળા કામ કરતા.
મેન્ડેટરલેએ શાહીબાગને બેગમપુરના ભાગ તરીકે ગણાવ્યો છે. બાગને ઊંચી ઉત્તમ દીવાલ હતી; ઉપરાંત એમાં સુંદર મહાલય હતો. એના ઓરડા મોટા અને આકર્ષક ફર્નિચરવાળા હતા. મેન્ડેસ્લે પથરને પુલ ઓળંગીને એ બાગમાંથી “ીરાબાગ” નામે બીજા બાગમાં ગયો હતો. આ પુલ ૪૦૦ કદમ જેટલું લાંબો હતા. એ બાગમાં માછલીઓવાળું નાનકડું સરોવર હતું. એમાં પાણી ભરવા માટે ઉનાળામાં બળદ જોડીને યંત્ર જેવું ચલાવીને પાણી ખેંચીને ભરવામાં આવતું. ઍપનીએ નેવું છે કે શાહીબાગ ભિન્ન ભિન્ન ઊંચાઈએ ક્રમવાર હતો ને