________________
૨૯૨]
મુઘલ કાલ સં. ૧૯૭૪માં “
વિચારશતક', સં. ૧૬૮૫ માં વિસંવાદશતક' લૂણકણસરમાં, રિણીગામે “યત્યારાધના’ ‘વિશેષસંગ્રહ, કટપસૂત્ર ઉપર “કલ્પલતા વિવૃત્તિ', દીક્ષા પ્રતિષ્ઠાદિ શુદ્ધિ' વગેરે ગ્રંથ રચ્યા છે. એમણે “કથાકેશ' ગ્રંથમાં ૧૬૭ સ્થા લખી છે.
સં. ૧૬૮૬ માં ગાથાસહસ્ત્રી', સં. ૧૬૮૭ માં જયતિહુઅણુસ્તાત્રવૃત્તિ', સં. ૧૬૯૧ માં ખંભાતમાં “દશવૈકાલિક સૂત્ર' પર શબ્દાર્થ-વૃત્તિ, સં. ૧૬૯૪માં જાલેરમાં “વૃત્તરત્નાકર' પર વૃત્તિ, કાલિદાસના રઘુવંશ' કાવ્ય પર વૃત્તિ, સંવાદસુંદર', “કલ્યાણુમંદિરતેત્ર પર વૃત્તિ, જિનવલભસૂરિ-રચિત “દુરિયરયસમીર” મહાવીર સ્તોત્ર પર વૃત્તિ વગેરે રચનાઓ કરી. સં. ૧૬૯૮માં “જીવ વિચાર નવતત્વ અને દંડક પરની વૃત્તિઓ અમદાવાદમાં રચી. ભાષામાં તે એમની અનેક કૃતિઓ છે.
રઘુરામ (ઈ.સ. ૧૫૮૯) : કચ્છના ભૂજ નગરના નિવાસી જયરામના પુત્ર રઘુરામે વિ.સં. ૧૬૪૫ (ઈ.સ. ૧૫૮૯)માં સંસ્કૃત ગદ્યમાં કાલનિર્ણયસિદ્ધાંત નામક ધર્મશાસ્ત્રને ગ્રંથ રચે છે, એના ઉપરથી ૫. મહાદેવે એ પદ્યમાં રચના કરી છે.
ઉપા, શાંતિચંદ્રગણિ (ઈ.સ. ૧૫૧૪): તપા, ઉપા. સકલચંદ્રના શિષ્ય ઉપા. શાંતિચંદ્રગણિએ સં. ૧૬૭૦ (ઈ.સ. ૧૬૧૪) માં “કૃપારસકેશ’ નામનું ૧૨૮ પ્રશ્નોનું નાનું સુંદર કાવ્ય રચ્યું છે. આમાં ગ્રંથકારે અકબર બાદશાહના શૌર્ય વગેરે ગુણોની પ્રશંસા કરી છે. ખુશ થયેલા બાદશાહ પાસેથી એણે કેટલાંક અમારિ-ફરમાન મેળવ્યાં હતાં, જજિયા રે વગેરે દૂર કરાવ્યા હતા.
- આ સિવાય ઉપા. શાંતિચંદ્ર જંબુદ્દીવપણુત્તિ' ઉપર સં. ૧૬૫૦ (ઈ.સ. ૧૫૯૪) માં “પ્રમેયરત્નમંજૂષા' નામની ટીકા, સં. ૧૬૫૧માં “અજિતશાંતિસ્તવ અને “કવિતા મદપરિહાર–સટીકની રચના કરી છે. એમણે ઘંટાકર્ણક૯૫' નામક મનોહર કાવ્ય પણ રચ્યું છે.
એમણે ઈડરના રાવ નારાયણ બીજાની સભામાં સં. ૧૬૩૩ પછી દિગંબર ભટ્ટારક વક્રિભૂવને અને વાગડને ઘાટશિલ નગરના અને જોધપુરના રાજા માલદેના ભત્રીજા રાજા સહસ્ત્ર નલની સંમુખ દિગંબર વાદી ગુણચંદ્રને વામાં હરાવ્યો હતો
દેવવિજયગણે (ઈસ. ૧૫૯૬) : આ. વિજ્યરાજસૂરિના શિષ્ય મુનિ વિજયગણિએ (સં. ૧૬ પર ઈ.સ. ૧૫૯૬) માં “રામચરિત', જે “પદ્મચરિત અગર જૈન રામાયણ' નામથી ઓળખાય છે, તેની રચના આ હેમચંદ્રના ત્રિષષ્ટિ