SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ) દિલ્હી સલ્તનતના અમલ નીચે [૪૧ (રાજ્યને આનંદ)ને ખિતાબ એનાયત કરી સુલતાને ગુજરાતને નાઝિમ નીમ્યો. એણે લગભગ દસ વરસ ગુજરાતના વહીવટ સુંદર રીતે કર્યો. એના સમયમાં પ્રદેશમાં શાંતિ રહી. એના સમયમાં ઈડરના રાજપૂત રાજ્યમાં રાવ રણમલ્લ રાજ્ય કરતેા હતેા. સમગ્ર વાગડ, રાજસ્થાન અને માળવા ઉપર એના પ્રભાવ હતા. તુમુકે એની પાસે ખંડણીની માગણી કરી અને રાવે એ આપવાનેા ઇન્કાર કર્યો, આથી 'તુલૂમુકે ઈડર ઉપર આક્રમણ કર્યું, પરંતુ રાવે એને ભારે શિકસ્ત આપી. એના ૧૭ હજાર સૈનિકો માર્યા ગયા (ઇ.સ. ૧૭૮૨). શ્રીધર વ્યાસે ‘રણમલ છંદ'માં આ ઘટના નિરૂપી છે, ' હવે સુલતાનની વૃદ્ધાવસ્થા હતી. એમ બન્યુ કે મે શાહજાદા ગુજરી જતાં ત્રીજા શાહજાદા મુહમ્મદખાનને ‘નાસરુદ્દીન મુહમ્મદશાહ'તા ખિતાબ આપી પેાતાના વારસ તરીકે એની નિયુક્તિ કરી. નાસિરુદ્દીન મુહમ્મદશાહે ઈ.સ. ૧૩૮૭ માં મલેક યાકૂબ મુહમ્મદ હાજીને ‘સિક ંદરખાન’તે ખિતાબ એનાયત કરી એક ફોજ સાથે ગુજરાતમાં નાઝિમપદના હાદ્દો સ ંભાળવા રવાના કર્યો. સિક ંદરખાન અહીં આવી પહેચ્યા ત્યારે ક્રૂતુલૂમુલ્યે એને વહીવટ સાંપવાને ઇન્કાર કર્યાં, આથી બંને વચ્ચે લડાઈ થઈ. ફ તુમુક જીત્યા અને સિકંદરખાન એમાં માર્યા ગયા. સુલતાન નાસિરુદ્દીન મુહમ્મદશાહુ એ પછી સુલતાન ફીરાઝશાહનું ઈ.સ. ૧૩૮૮માં અવસાન થયુ. આંતરિક કૌટુંબિક ઝઘડા ચાલુ જ હતા. સુલતાનપદે બેત્રણ નબીરાઓની ઝડપી ઊથલપાચલ થઈ. અંતે સામાના(પાણીપતની ઉત્તરે)ના સદા અમીરે। અને અન્ય સરદારીએ નાસિરુદ્દીન મુહમ્મદ શાહને મહ્દ કરી, જેથી એ તખ્ત ઉપર ઈ.સ. ૧૩૮૯ માં બેઠો. હ તુલસુક (ઈ.સ. ૧૭૮૮–૧૩૯૧) ફીરાઝશાહી ખાનદાનની ખાનાજ`ગીતા પુરેપુરા લાભ ઉઠાવી કુહેતુલમુકે આ પ્રદેશના રાજપૂતે ઠાકેારા અને રાજાઓની સાથે મળી જઈ આપખુદ સત્તા સ્થાપવાના પ્રયત્ન કરવા માંડ્યો. મલેક યાકૂબ હાજી સિક દરખાનને શિકસ્ત આપ્યા આદ કેંદ્ર સરકાર તરફથી કાઈ પણ પ્રકારની કાયવાહી એની સામે થઈ નિહ, તેથી એને હિંમત આવી ગઈ હત અને રાખેતા મુજબની મહેસૂલની રકમ દિલ્હી મેકલવાનું એણે બધ કરી દીધું હતુ. ત્યાંથી આવતાં ફરમાનેની પણ એણે અવગણના કરવા માંડી હતી,
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy