SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સુ^ ] શિક્ષપકૃતિઓ [vy મ યુક્ત વરદ મુદ્રામાં છે, જ્યારે જમણા ઉપલા હાથમાં કાંઈક અસ્પષ્ટ, ડાબા ઉપલા હાથમાં ગદા અને નીચલા હાથમાં શંખ હાવાનુ જણાય છે. બ્રાહ્મી અને વૈષ્ણવી તેએ કર’ડમુકુટ ધારણ કર્યાં છે. વૈષ્ણવીના ભાલમાં બિંદી જોવા મળે છે. બ'તેનાં નેત્ર વિસ્ફારિત છે. વૈષ્ણવીએ કાનમાં રનકુ ંડળ ધારણ કર્યાં છે. તેએ અનેક સેરના હાર બાજુબંધ વલય કટિબંધ ટિમેખલા અને નુપુર ધારણ કર્યાં છે. આમાં બ્રાહ્મીના અલંકારાનું વૈવિધ્ય અને રૂપાંકન મનેાહર છે. બંનેએ અધાવસ્ત્ર ધારણ કર્યુ છે અને જવા પર પ્રચત્રિત પદ્ધતિ અનુસર દુપટ્ટો બાંધેલા છે. બ્રાહ્મીની ડબી બાજુએ હાથી મે।ર વાનર વગેરે અને વૈષ્ણવીની જમણી બાજુએ સિંહગ્યાલ વગેરે રૂપકન ક ડારેલ છે .. ૧૪ મી સદીની હાવાની મનાતાં એક અષ્ટભુજ ગૌરીની પ્રતિમા ખંભાતના કુમારેશ્વર મંદિરના ગે!ખમાં જોવા મળે છે. મૂર્તિના જમણી બાજુના ઉપલા બે હાથ ખડિત છે. નીચેના બે હાથ પૈકી એકમાં પુસ્તક જેવું અને ખીજામ વરદમુદ્રા અને અક્ષમાલા જોવા મળે છે. ડાબી બાજુના સૌથી ઉપલા હાથમાં ચક્ર અને સૌથી નીચલા હાથમાં બીજપૂરક છે. વચ્ચેના બને હાથ ખંડિત છે. કુંડળ કુંડહાર એકાવલી બાજુબંધ લય ટિમેખલા નૂપુર વગેરે અલકારાથી સુશે।ભિત દેવીની બંને બાજુએ કનરે અને ગંધવની નાની નાની આકૃતિએ છે. નીચેના ભાગમાં વાહન તરીકે નદી કડારેલ છે ૧૦ ધેળકામાંથી મળેલી મહિષાસુરમર્દિનીની મૂતિ વિ. સ. ૧૬૧૪( ઈ.સ. ૧૫૫૭-૫૮)ના લેખ ધરાવે છે. ષભુજાયુક્ત દેવી ખૂબ ભારે અલંકારાથી સુથેભિત છે. એના જમણી બાજુના ઉપન્ના હાથમાં ખડ્ગ, વચ્ચેના હાથમાં ચક્ર અને નીચલા હાથમાં ત્રિશૂળ છે, જ્યારે ડાબી બાજુના ઉપલા હાથમાં કપલ, વચ્ચેના હાથમાં ઘંટ અને નીચલા હાય વર્ડ મહિષાસુરના માથાના વાળ પકડેલા છે. ૧૧ વડોદરા મ્યુઝિયમમાં મહિષર્દિની દુર્ગાની પિત્તળની પ્રતિમા આનુ સરસ દૃષ્ટાંત છે. આમાં દેવીની આકૃતિ પ્રાચીન નમૂના પરથી કરેલી નકલરૂપ છે, પણ અંગોમાં ગતિ, અધોવસ્ત્ર અને ઉત્તરીયનું ઊડવુ' અને ઢાલ પકડવાની છટા નવીન છે. વળી દેવીને ફરતી કમાનમાં ડાબી-જમણી બાજુની સજાવટ પરંપરાગત છે, પણ ઉપરન કમાનાકારમાં મૂલતઃ કર્તિમુખ થતાં હતાં તેએનું સ્થાન અહીં પાંદડાંએ એ લીધું છે. આ શિલ્પ પર રાજસ્થાનમાં રાણા કુંભાના સમયમા વિકસેલી શિપશૈલીના સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે.૧૨ ખંભાતની આર્ટ્રેસ અને સાયન્સ કેંલેજના સંગ્રહાલયમાં સફેદ આરસની દ્વિભુજ સરસ્વતીની બેઠેલી પ્રતિમા સુરક્ષિત છે (પટ્ટ ૩૨, આ ૫૩). દેવી અને હાથ
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy