SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સુ] સ્થાપત્યકીય સ્મારકા [૪૪ અહમદશાહના રાજો (પટ્ટ ૨૨, આ. ૪૦)—અહમદશાહ ૧લાના સમયમાં બધાયેલાં મકાનેામાં એના રાજાનું સ્થાન વિશિષ્ટ પ્રકારનું છે. કબર-સ્થાપત્યમાં એનું સવિશેષ મૂલ્ય પણ છે, પાછળથી મુઘલકાલમાં બીજે. જોવા મળતા રાજાઓની તુલનામાં સૌંદર્ય અને સપ્રમાણતાની દૃષ્ટિએ આ રાજાનું મહત્ત્વ અસાધારણ છે. શહેરની મધ્યમાં જામી રિજદની બાજુમાં જ આ રાજો ખનાવીને એને શહેરનું ધાર્મિક તેમજ વ્યાપારી કેંદ્ર બનાવવામાં આ ઇમારતના થોડા ફાળા અવશ્ય ગણાવા જોઈએ. એક રીતે ચારે બાજુએ ધમધમતા વેપારી વિસ્તારની વચ્ચે ઘેરાયેલા આ રાજામાં સ્થાપત્યકીય રીતે સપ્રમાણતા અને ઉત્તમ માપપદ્ધતિનું ઉત્તમ સંચેાજન થયુ છે. આ મકાનની નજાકતમાં એની જાળીએ વિશેષ ભાગ ભજવે છે. ચતુસ્ર મકાનની સુગ્રથિત પદ્ધતિમાં ઊંચાઈ અને પહેાઈ અને રીતે આ રે!જો ખૂબ જ આકષ ક અને ઉચ્ચ આયાજ વાળે છે. એમાં હમદશાહ ૧ લા ઉપરાંત એના પુત્ર મુહમ્મદશાહની અને પૌત્ર કુત્બુદ્દીન અહમદશાહની કબરા છે. બહારની બાજુની સુરોાભન-પદ્ધતિમાં અને જાળીઓના રૂપમાં થાડા સરક જરૂર પડે છે. એ બતાવે છે કે કદાચ એમાં જાળીઓ પાછળથી મુકાઈ હાય, વળી એને ઘુંમટ પણ ઉત્તમ પ્રકારના અધગાળાકાર ધરાવે છે, જે એની દૃશ્ય અસર ઊભી કરવામાં ભાગ ભજવે છે. રાણીના હજીરા—અહમદશાહના રાજાની સામે આવેલા આ રાજો એની વિશિષ્ટ પ્રકારની બાંધણી માટે ખાસ ધ્યાન ખેંચે તેવા છે, કારણ કે કબરેા રાખવાના ભાગ ખુલ્લા છે અને એ વચલા વિસ્તારને ક્રૂરતા ચારસમાં સુંદર લિવાન પ્રકારના આચ્છાદિત પ્રદક્ષિણામાગ કરેલા છે. વળી જમીનના સ્તરથી એ ખાસ્સા ઊંચાઈએ રચેલા છે. એમાં જવા માટે પગથિયાં આશરા લેવા પડે. આ હજીરાના તલ ંદની પ્રમાણસરતા નોંધપાત્ર છે. અહીં ૧ : ૨ : ૪ : ૮ પ્રમાણ પ્રયેાજાયેલુ જોવા મળે છે, એના સ્તંભ સીવાસાદા છે. ઝાઝી કાતરી નથી, પરંતુ એમાંનાં તર તે જાળીએ સવિશેષ ધ્યાન ખેંચે તેવાં છે; કદાચ પાછળથી કરેલાં પણ હોય. કુત્બુદ્દીનની મસ્જિદ-ઈ.સ. ૧૪૪૯ માં હલાલ સુલતાનીના પુત્ર નિઝામને માટે કુત્બુદ્દીનશાહે ખાંધેલી આ મસ્જિદ અમદાવાદમાં દિલ્હી ચકલામાં આવેલી છે. સલ્તનત કાલના મસ્જિદ સ્થાપત્યને વિકાસ દર્શાવતી આ એક પૂરક કડીરૂપ છે. મિનારા અષ્ટકાણાત્મક અને અસરકારક કાતરણીવાળા છે. મલિક શાખાનના રાજો--અમદાવાદમાં સરસપુરથી અગ્નિ ખૂણે આવેલા રખિયાલમાં આ રાજો આવેલે છે. આ રાજાની ભીતમાં ઈ.સ. ૧૪૫ર તે લેખ ઇ-૫-૨૯
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy