________________
૧૫ સુ^ ]
સ્થાપત્યકીય સ્મારકા
[૪૧૩
planning ની પરિપાટી સાથે સરખાવી શકાય, ‘ સમરાંગણું-સૂત્રધાર ’તેમજ ‘અાજિત પૂર્ણા’માં નગરાના પ્રકાર અને વ્યાખ્યાઓ આપ્યાં છે તેમજ નગર(પુર)ના પ્રકાર તથા આયેાજવિધિ સવિસ્તર સમજાવ્યાં છે.૩ એ સિદ્ધાંતને આ કાલનાં નગરે! સાથે સરખાવતાં આ નગરાની સ્થાપનામાં એ જ સિદ્ધાંતાના ખ્યાલ રાખવામાં આવેલ સ્પષ્ટ જણાય છે. ‘અપરાજિત-પૃહા’ પશ્ચિમે તુ ગત્ઝાશયા:૪ એક આવશ્યક અંગ તરીકે લખે છે. સેાલંકી કાલથી માંડી આ કાલ તેમજ ઉત્તર કાત્રમાં પણ પશ્ચિમ ભારતમાં આ નિયમને અનિવાય ગણીને નગરેની સ્થાપના કરવામાં આવી છે, એ ઉપરથી તત્કાલીન શાસ્ત્રકારે તે પ્રકૃતિનેા ઉપયેગ કેમ કરવા એનું સચેટ જ્ઞાન હશે એને ખ્યાલ આવે છે, કારણ કે પશ્ચિમ તરફથી આવતા પવન પાણી ઉપર થઈને પસાર થાય તેા ઠંડા થાય તે નગરમાં વસતી પ્રજાને અનુકૂળ બને. આ કારણેાથી આપણે સિદ્ધપુર વડનગર પાટણ અમદાવાદ વડાદરા તેમજ અન્ય ઘણાં નગરાની પશ્ચિમમાં નદી કે જળાશય અનિવાર્યરૂપે જોઈએ કે, આ જ રીતે જાતિવર્ણાધિવાસની દૃષ્ટિએ પણ શાસ્ત્રોના નિયમેાનું સ્પષ્ટ પાલન જોવા મળે છે.પ
સલ્તનત કાલમાં સ્થપાયેલ' નગરામાં અહમદાબાદ(અમદાવાદ) અહમદનગર(હિંમતનગર) મુહમ્મદાબાદ(ચાંપાનેર) મુસ્તફાબાદ(જૂનાગઢ) અને મહમૂદાબાદ(મહેમદાવાદ)ના વિશેષ સમાવેશ થઈ શકે.
અમદાવાદ-નગર-આયેાજનની દૃષ્ટિએ અમદાવાદ કેવી રીતે સ્થપાયુ' એ સિદ્ધાંતા જોઈશું. રાજનિવેશ(royal campus)નું આયેાજન નગરનું એક વિશિષ્ટ અંગ છે, કારણ કે એના પર તેા રાજાની સલામતી અને સત્તા બ'તેતે આધાર છે. સામાન્ય રીતે એવા નિયમ હતા કે રાજગૃહ( royal campus )ના દરવાજામાં પેસતાં પડેલાં ધર્મસ્થળ એટલે કે મંદિર ( કે મસ્જિદ ) આવે. એના પછી રાજાની કચેરી તેમ દરબાર વગેરે આવે, ત્યારબાદ રાજાના મહેલ આવે, તે છેક છેલ્લે રાજાના અંગત માણસાના નિવાસ આવે. અમદાવાદની ભદ્રના રાજનિવેશની આયેાજના પણ આ પ્રમાણે હાવાના એક પુરાવા અહમદશાહની મસ્જિદ છે અને મહેલા નદીના કિનારે હતા એવા ઉલ્લેખ ઘણા મળે છે. એ ઉપરથી વચ્ચેની જગામાં દાર હશે એને પણ ખ્યાલ આવે છે. આ પદ્ધતિનું અનુકરણ માંડૂ તેમજ ક્રૂત્તેહપુર સિક્રીમાં સ્પષ્ટપણે જોવા મળે છે.
સૌ પ્રથમ રાજગૃડની આયેાજના થતી. અમદાવાદના ભદ્રના કિલ્લાના પાયે પ્રથમ ઈ.સ. ૧૪૧૧ માં નાખવામાં આવ્યે. કહેવાય છે કે અમદાવાદ પાટણની