________________
ખંડ ૩
સાંસ્કૃતિક ઈતિહાસ
પ્રકરણ :
સામાજિક સ્થિતિ
સતનત કાલને ગુજરાતી સમાજ બે મુખ્ય વિભાગોમાં વહેંચાયેલ હતો : હિંદુ અને મુસ્લિમ
હિંદુ સમાજ
સમાજ-વ્યવસ્થા
જ્ઞાતિબંધનની જટિલતા સ્થિર થઈ ચૂકી હતી. વર્ણભેદ અનેક જ્ઞાતિ ભેદમાં પથરાઈ ગયા હતા. જ્ઞાતિઓમાં પણ અનેક શાખા-ઉપશાખાઓ થઈ હતી. જ્ઞાતિઓ જ્ઞાતિઓ વચ્ચે તેમજ એક જ જ્ઞાતિની જુદી જુદી શાખાઓમાં પણ ઉચ્ચ-નીચને ભાવ બદ્ધમૂળ થઈ ગયો હતો.
તત્કાલીન સમાજમાં સામાન્યપણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણો ઉપરાંત કંદેઈ, કાળી(કાછિયા), કુંભાર, માળી, મર્દાનિયા, સૂત્રધાર(સુથાર), ભઈસાયત (ભરવાડ), તંબોળી, સોનાર (સોની) એ નવ નાર તથા ગાંછા, છીપા. લુહાર, મેથી અને ચમે કાર (ચમાર) એ પાંચ કારુ મળીને અઢાર વરણી ગણાતી હતી ?
બ્રાહ્મણોની પ્રાચીન કાળથી ચાલી આવતી સર્વોપરિતા આ સમયે પણ ચાલુ હતી. તેઓ ઉચ્ચ અને પૂજ્ય મનાતા. તેઓ ઘણું કરીને અગ્નિહોત્ર અને પંચ
ઈ-૫-૧૭