SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ મુ] રાત્ર ૭િ ઈતિહાસકાર ગુજરાતના સુલતાનના ન્યાય અંગેના પ્રસંગેનું વિસ્તાર પૂર્વક વર્ણન કરે છે. સામાન્ય રીતે ઈન્સાફની બાબતમાં લગભગ બધા જ સુલતાનેને નિષ્પક્ષ ચીતરેલા હોવાનું જણાય છે, પરંતુ સમગ્ર દૃષ્ટિએ નીરખવામાં આવે તે માત્ર મુસ્લિમ યિત તરફ એવું વર્તન હતું એમ કહેવામાં આવે તો એ યથાર્થ છે. સુલતાન અહમદશાહ, સુલતાન મહમૂદશાહ (બેગડ), સુલતાન મુઝફફરશાહ ૨ જે વગેરેએ દર્શાવેલી એવી ન્યાયી વૃત્તિના કિરસી એમના શાસનની વિગતમાં નોંધવામાં આવેલા છે. જાહેર વ્યવસ્થા રસ્તામાં ચાર રસ્તા ઉપર શાંતિ જાળવવા સિપાઈઓની ચકી રહેતી. આખા શહેરમાં એક કોટવાલ રહેતો હતો. એની સત્તા નીચે સિપાઈઓ કામ કરતા હતા. તેઓ બદમાસ અને ચોરો બાબતમાં સાવચેતી રાખતા હતા. એ સાથે એક બીજું ખાતું પ્રજામાં સદાચરણ જાળવવા માટે ચાંપતી દેખરેખ રાખતું હતું. એને અમલદાર “મુહૂતસિબ” કહેવાતા હતા. હાક ગુજરાતની સ્વતંત્ર સલ્તનત પહેલાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખબર પહોંચાડવાની વિવિધ પ્રકારની વ્યવસ્થા હતી. સાંઢણી ઉપરાંત ઘેડા હલકારા કબૂતરો અને નગારાં વગાડી એ મારફત ખબર એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડવામાં આવતી. સુલતાનના સમયમાં ટપાલ ખાતા બાબતમાં કોઈ વિશેષ વિકાસ થયો હોય એવું જણાતું નથી. એ જમાનામાં ઊંટ-સવાર ભારફત ખબર પહોંચાડવામાં આવતી હતી. ડાક માટેનું કેદ્ર અમદાવાદ હતું. એને મુખ્ય અમલદાર “મલેકુબરીદ” કે “સાહેબુબરીદી હતો. d'BRILM દિલ્હી સલતનતની સત્તા નીચે ગુજરાત હતું ત્યારે દિલહીને સુલતાન સિક્કા પાડી ચલણમાં મૂકતો અને એ ઉપર પોતાના નામ ખિતાબ વગેરે કેવરાવતા. સુલતાન અહમદશાહના શાસન દરમ્યાન અમદાવાદમાં પદ્ધતિસરની પહેલી ટંકશાળાની સ્થાપના થઈ હતી. આમ છતાં અમદાવાદનું નામ ધરાવતા બહુ જ થડા સિક્કા એ સમયના મળેલા છે, અને જે મોટી સંખ્યામાં મળેલા છે તે ઉપર ટંકશાળાનું નામ નથી, એ અમદાવાદના હોવા જોઈએ એવું મનાય છે. એવો સંભવ છે કે અમદાવાદમાં ટંકશાળ સ્થપાઈ ત્યારે એ ઉપર કદાચ એ સ્થળનું નામ રાખવામાં આવ્યું ન હોય. સુલતાન અહમદશાહે ઈ.સ. ૧૪૨૬ માં વસાવેલા અહમદનગર(આજના હિંમતનગર)ના સિક્કા મળેલા છે, તે ઉપર એ શહેરનું નામ છે. આમ એ સુલતાનના સમયમાં બે ટંકશાળ થઈ હોવાનું જણાય છે.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy