SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ.] ગુજરાતમાં ફ્િર`ગીએના પગ પેસારો [૧૪ કર્યું' અને ૧૫૧૪ માં ડીએગા ક્ર્નાન્ડીઝ ભેજા અને જેમ્સ ટેકસીરાને એલચીએ તરીકે સુલતાન સાથે વાટાઘાટા કરવા મેાકા, આ પ્રતિનિધિમ`ડળે ૧૫૧૪ માં સુરતમાં મલિક ગેાપીને ત્યાં ઉતારા પામી અમદાવાદ સુધી કરેલા પ્રવાસનું, મલિક ગોપીની ચાંપાનેરમાં થયેલી મુલાકાતનું, અમદાવાદમાં સુલતાન મુઝફ્કરે એને આપેલી શાહી મુલાકાતનું તથા ગુજરાતના વજીર ખુદાવંદખાન સાથેની રાજકીય વાતચીતા વગેરેનું વર્ણન આલ્બુકર્કની Commenteries(ટિપ્પણીઓ)માં જોવા મળે છે. સુલતાને એલચીમડળને કિલ્લા બાંધવા માટે જમીન આપવા ભરૂચ, સુરત નાહીન, ડુમસ અથવા તે। બાકર વિકલ્પરૂપે સૂચવ્યાં, પણ દીવ સિવાય બીજા કોઈ સ્થળ માટે કઈ પણ કબૂલ કરવાતી પેાતાને સત્તા નથી એવુ ફર્નાન્ડીઝે જણાવેલુ. સુલતાને દીવ અંગે આપેલા મક્કમ જવાબ તથા સુલતાને પેર્ટુગલના રાજા માટે આપેલા ગેંડાની ભેટ લઈ પ્રતિનિધિમંડળ પાછું કર્યું. . ૧૦ ફિર’ગી એલચીમ`ડળ ૧૫૧૪ના સપ્ટેમ્બરમાં ગેાવા પાછું " ને આલ્બુકર્ક તે જણાવ્યું કે દીવમાં કિલ્લા બાંધવા માટે સુલતાન રાજી નથી. એની પાછળનુ કારણ દર્શાવતાં કહ્યું કે મલિક અયાઝે લાંચરુશવતથી સુલતાનની માનીતી બેગમ બીબી રાણીને પેાતાના પક્ષે લીધી છે અને એનું જ ખાસ ચલણ છે. ૧૫૧૫ માં આલ્બુકર્કને પેાર્ટુગલના રાજાએ પાછે ખેલાવી લીધે!. આલ્બુકર્કની જગ્યાએ લેપેા સાતે ગવર્નર તરીકે મેયેા, પણ ૧૫૧૮ માં ડીએગા લેપ્સ દ સીકમેરાને ખાસ હુકમ આપી મેાકલવામાં આવ્યા કે તારે દીવમાં કિલ્લે બાંધવા. દીવમાં જ્યાં સુધી સુરિલમ સત્તા હશે ત્યાં સુધી તુર્કીના પગપેસારા હિંદમાં રહેશે એવી પેર્ટુગલમાં પ્રબળ માન્યતા હતી. વળી આ સમયે મલાકા અને પૂર્વના દેશા સાથે ગુજરાતના છીંટ કાપડનેા મોટા વેપાર ચાલતા હા તેથી દીવનુ મહત્ત્વ પે।ર્ટુગલને ઘણુ હતુ. ગર ડીએગે। ૧૫૨૦ના અંતમાં હેરમઝથી હિંદ પાળે કરતાં દીવ પર હુમલેા કરવાના ઇરાદાથી દી આવ્યે. ત્યાં મલિક અયાઝે એનુ` માનપૂર્વક સ્વાગત કરી ઘણી હેાશિયારીથી દીવની સંરક્ષણ--ધવસ્થાને પરિચય કરાવ્યે. એ જોઈને ડીએગે કંઈ પણ કર્યાં વગર ગાવા જતા રહ્યો. એની સાથેની વાતચીત પરથી મલિક અયાઝને ક્િર`ગીઓ તરફથી દીવ પર આવનાર ભયની ગધ આવી ગઈ હતી, એથી એણે દીવની સરક્ષણુ-વ્યવસ્થા વધુ સંગીન બનાવી લીધી. ડીએગે લડવાના ઇરાદાથી મેટા જહાજી કાલા સાથે ીથી દીવ આવ્યા (ફેબ્રુઆરી ૯, ૧૫૨૧ ) પણ મલિક અયાઝની સાવધતા જોઈ એ હારમઝ તર જતા રહ્યો.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy