________________
• '
સહનત કોલ
સુલતાન દૂશંગશાહે કપટ જાળ પાથરવા માંડી. અગાઉની પેઠે એણે સુલતાન અહમદશાહ સાથે સંધિ કરવાનો ડોળ કર્યો. ૨૧ આમ કરી સુલતાન દૂશંગશાહ સુલતાન અહમદશાહને ગફલતમાં નાખી એના ઉપર વળતું ઓચિંતુ આક્રમણ કરી બાળ ફેરવવાનો ઘાટ ઘડી રહ્યો હતો, અને એ એમાં કાવ્યો. સુલતાન અહમદશાહ એના સલાહકારોની સલાહ માની લઈને સુલતાન દૂશંગશાહના દાવપેચને ભોગ બની ગયો. અગાઉ જેમ થયું હતું તેમ એણે લશ્કરને પાછા ફરવાને હુકમ કર્યો. પરિણામે સ્વાભાવિક રીતે જ સંરક્ષણની વ્યવસ્થા ઢીલી પડી, આથી સુલતાન દુશંગશાહે ઈ.સ. ૧૪૨૨ના ડિસેમ્બરની તા. ૨૬મીએ રાત્રિ દરમ્યાન એકાએક ગુજરાતના લશ્કર ઉપર હુમલો કર્યો. ગુજરાતી લશ્કરમાં કેલાહલ મચી ગયો, પણ થોડા સમય બાદ સુલતાન અહમદશાહે અને એના અમીરોએ પોતાનું ગુજરાતી લશ્કર સંગઠિત કરી લીધું અને તેઓ સુલતાન દૂશંગશાહના લશ્કર ઉપર તૂટી પડયા. લડાઈમાં પોતપોતાની પ્રતિષ્ઠા સાચવવા બંને સુલતાન સામસામા આવીને બહાદુરીથી લડયા અને બંને ઘવાયા. આ વખતે સવાર થતાં સુલતાન અહમદશાહના મહાવતે પોતાના સુલતાનને ઓળખી ગયા અને તેઓ સુલતાન દૂશંગશાહ ઉપર ધસી ગયા. આ બધે સામટો ધસારો જોઈ ગુજરાતના લકર સામે ટકવું અસંભવિત જણાતાં સુલતાન દૂશંગશાહ નાસી છૂટયો અને સુલતાન અહમદશાહ વિજયી બન્યા. એના હાથમાં માળવાના લશ્કરને રહી ગયેલ તમામ શસ્ત્ર-સરંજામ આવ્યું. સુલતાન દૂશંગશાહે સારંગપુર પહોંચી ત્યાંના કિલ્લાને આશ્રય લીધે.
ઈ.સ. ૧૪૨૩ ના માન્ચની તા. ૭ મીએ સુલતાન અહમદશાહે ગુજરાત તરફ પ્રયાણ કર્યું. સુલતાન દૂશંગશાહે સારંગપુર તરફથી પાછા આવી ગુજરાતી લકર ઉપર ફરીથી હુમલો કર્યો.૨૨ સુલતાન અહમદશાહે એનો બરોબર સામને કર્યો. પરિસ્થિતિ વિકટ બની ગઈ અને ખુવારી ભારે થઈ અંતે સુલતાન દૂશંગશાહ હાર્યો. વિજયી સુલતાન અહમદશાહે ગુજરાત તરફ પોતાની કૂચ આરંભી. એ ઈ.સ. ૧૪૨૩ ના મેની તારીખ ૨૩મીએ અમદાવાદમાં આવી પહોંચ્યું.
આ લડાઈમાં એટલી તે ખુવારી થઈ હતી કે એ સાલથી વિશેષ ગાળા સુધી સુલતાને કોઈ પણ આક્રમણનું સાહસ ઉપાડયું નહિ. એ પાટનગરમાં જ રહ્યો અને એણે ન્યાય, રાજ્યવહીવટ અને ખેતીના સુધારા ઉપર પિતાનું ધ્યાન કંકિત કર્યું.