________________
ખંડ ૬ : સાંસ્કૃતિક ઇતિહાસ
પ્રકરણ ૧૦
સામાજિક સ્થિતિ
ઈ. સ. ૯૪૨ થી ૧૩૦૪ સુધીના સમયગાળામાં, અગાઉના કાલેની તુલનાએ, ઐતિહાસિક સાધનાનું બાહુલ્ય છે. સાહિત્યિક સામગ્રી વિપુલ પ્રમાણમાં મળે છે અને અભિલેખા આદિ સામગ્રી તે પૂર્વવત્ ઉપલબ્ધ છે. જોકે સામાજિકઆર્થિક-ધાર્મિક જીવનનાં અમુક અંગેા માટેની માહિતી અપ છે, તાપણુ આ *ાલ માટે સાધનેાની વિરલતા છે એમ એક દરે કહી શકાશે નહિ. સાલકી કાલના સામાજિક જીવનનું ચિત્ર દેરવાનું કાય, આ કારણે, એન્ડ્રુ કઠિન છે.
.
ચાશ્રય 'માં આભીર, કિરાત, ધીવર, ચાંડાલ, ચીન, ખખ્ખર, જાગલ, નિષાદ, ભિલ, મ્લેચ્છ, તુરુષ્ક, યવન, શક, શખર, કૂણુ, ટ, માહેષ અને ખસ જાતિઓના નિર્દેશ આવે છે.૧ સ્મૃતિક્ત ચાતુણ્ડની વ્યવસ્થા, અગાઉની જેમ, આ કાલમાં પણ એકદરે પ્રચલિત હતી, પરંતુ નોંધપાત્ર સામાજિક ફેરફાર એ કે નાતાના વાડા બંધાવા લાગ્યા હતા. ભીમદેવ 1 લાએ ઈ. સ. ૧૦૩૦(વિ. સં. ૧૦૮૬)માં એક દાન ઉદીચ્ય બ્રાહ્મણને અને ખીજું માઢ બ્રાહ્મણને આપ્યું હેતુ. ૧અ મૂલરાજના સમયમાં ઉત્તરના બ્રાહ્મણ ગુજરાતમાં આવ્યા અને તે ‘ઉદીચ્ય’ કહેવાયા—એ અનુશ્રુતિને આથી આધાર મળે છે. માઢેરા નગરમાં વસેલા અથવા ત્યાંથી નીકળેલા બ્રાહ્મણ ( અને વાણિક) તે માઢ' એ સ્પષ્ટ છે. મૂલરાજના સમયના ઈ. સ. ૯૪૯(સં. ૧૦૦૫)ના લેખમાં નાગર જ્ઞાતિના ઉલ્લેખ હે;૨ જોકે નાગર જ્ઞાતિના પેટાભેદો એ સમયે થયા હાય એમ જણાતું નથી. એ પછીનાં આશરે સા–દોઢસા વ માં રાયકવાલ, પારવાડ, શ્રીમાલી, વાટીય– વાયડા આદિ જ્ઞાતિઓનાં નામ પ્રચલિત થયાં લાગે છે. ભીમદેવ ૨જાના સ ૧૨૫૬ ની ભાદ્રપદ અમાસ અને ભૌમવાર(ઈ. સ. ૧૧૯૯ ની ૨૧ સપ્ટેમ્બર )ના તામ્રપત્રમાં રાયકવાલ જ્ઞાતિના બ્રાહ્મણ આસધરને ભૂમિદાન અપાયાનેા ઉલ્લેખ છે. આ દાનપત્રને લેખક મેાઢવંશના મહાક્ષપલિક વૈજલનેા પુત્ર શ્રી કુવર છે.૩ રાજકીય અને અન્ય કારણાએ મારવાડથી ગુજરાત તરફ સ્થળાંતર થતાં શ્રીમાલભિન્નમાલ ઉપરથી શ્રીમાલી ( બ્રાહ્મણુ તેમજ વણિક) તથા પ્રાપ્વાટ-પેારવાડ (શ્રીમાલના પૂર્વ ભાગમાં વસનાર) જ્ઞાતિ થઈ. પાટણ પાસેના વાયટ-વાયડ