________________
૧૩૦ ] સેલંકી કાલ
[ પ્ર. અવસાન થયા પછી પુંઅરાના હાથમાં કચ્છના આ પ્રદેશનાં સત્તાસૂત્ર આવેલાં હતાં. પુંઅરાને ઘૂમલી(?)ને વિયડ ગુજર (?) સાથે અગાઉ અથડામણ થઈ હતી એને બદલો લેવા વિયડ પધરગઢ ઉપર ચડી આવ્યું. આ સમયે પુંઅરાએ સિંધના હમીર સુમરાને મદદે બોલાવ્યો. યુદ્ધમાં વિયડ માર્યો ગયો અને હમીરને એ મદદના બદલામાં પુંઅ રા’એ પિતાનો પુત્રી પરણાવી. અનુશ્રુતિ પ્રમાણે હમીર તારણે આવતાં કોઈએ મશ્કરી કરી એટલે એ ચાલ્યા ગયે. પુંઅ રાને એની જાણ થતાં સમજુ માણસો મોકલી એને મનાવી લેવામાં આવ્યો. હમીરે શરત કરી કે તમારે ત્યાં અધા/વેચાણનાં ખત થતાં દસ્તાવેજોમાં “અઘાટ હમીરા વાર” એવી નોંધ લેવાય. ત્યારથી એ જાતની નોંધ કચ્છમાં થતી આવી છે.
પુંઅ રાને રાજ્યકાલ છએક વર્ષથી વધુ ચાલ્યો નહિ. પુંઅ ર તરફથી સંઘાર લેકેને ભારે રંજાડ અનુભવો પડ્યો હતો. એ લેકેએ જખૌ બંદરના વિસ્તારમાં આવી રહેલા રૂમી કે ઈરાની લોકોની મદદ માગી પધરગઢ ઉપર હલ્લો કર્યો. ઘેડેસવાર થઈ આવેલા એ બેત્તર વિદેશીઓએ પધરગઢ ઉપર સંઘાર સાથે હલ્લે કર્યો, જેમાં પુંઅ રા’ માર્યો ગયો અને સંભવ છે કે એ વિદેશીઓ પણ માર્યા ગયા. સંધાએ પધરગઢથી પશ્ચિમે એક ટેકરી ઉપર એ લોકોની યાદગીરી જાળવી કે જ્યાં પાછળથી એ ઘડેસવારનાં પથ્થરનાં પૂતળાં ઊભાં કરવામાં આવ્યાં. ત્યારથી ભાદરવા મહિનાના સોમવારે ત્યાં દર વર્ષે મોટે મેળે ભરાય છે. આ વિદેશીઓને અત્યારે “જખ' કહેવામાં આવે છે. “જખૌ” બંદરના નામ સાથે પણ આ “જખ” લેકે જોડાયેલા કહેવાય છે. આ વિદેશી લોકે કોણ હતા, એ લેકે “જખ” (સંભવતઃ સં. યક્ષ-પ્રા. વર) શા માટે કહેવાયા અને પુંઅ રા'ના વિનાશમાં તેઓ કારણભૂત હતા કે નહિ એની પ્રમાણ પુષ્ટ ઐતિહાસિક વિગત ખૂટે છે.
૨. કરછને જાડેજા વંશ પંઅ રાની રાણી રાજીએ પતિના અવસાન પછી ઠઠ્ઠાના જામ જાડાના દત્તક પુત્ર લાખા જાડેજા(જાડાના પુત્ર)ને કચ્છનું રાજ્ય ચલાવવા નિમંત્રણ આપ્યા(ઈ. સ. ૧૩૫-સં. ૧૪૦૬ લગભગ)નું બજેસ લખે છે૭, પરંતુ પુંઅ ના ઉપરના સમય સાથે આ સમયને તે સર્વથા મેળ નથી, પરંતુ જૂના મત પ્રમાણે પણ લાખા-જાડેજાને કચ્છને રાજ્યારંભ સં. ૧૨૯૭(ઈ. સ. ૧૧૪૭)થી શરૂ થતો હાઈ વચ્ચે (ઈ. સ. ૮૮૫-૧૧૪૭=૧૬૨ વર્ષ) ભારે માટે ગાળે પડે છે. સંભવ એ છે કે મૂલરાજ સેલંકીને હાથે કેરાકોટમાં લાખ ફલાણી ભરાયા પછી મૂલરાજની સત્તા કચ્છના કેરાકેટના વિસ્તાર સુધી પ્રસરી