SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ જુ] પહેલુ પાટનગર : ગિરિનગર [ ૬૧. સંસ્કારરચના પૂરી કરી, અને ઈ. સ. ૪૫૭-૫૮માં ઊયત્ ગિરિની સમીપમાં વિષ્ણુનું મદિર બાંધ્યું. ગિરિનગરના પ્રતિહાસ એ સુદર્શન તઙાગને તિહાસ છે. આનુષંગિક રીતે ચંદ્રગુપ્ત મૌર્યના સમય (ઈ.સ. પૂ. ૩૨૧-૨૯૭)થી સ્કંદગુપ્તના સમય (ઈ. સ. ૪૫૭-૫૮) સુધીની સાડા સાતસાથી અધિક વર્ષોની ઋતિહાસ-શૃંખલા આ અભિલેખાથી જોડાય છે. આ સાડા સાતસેા વર્ષોના ગાળામાં ગિરિનગર આનત -સુરાષ્ટ્રનું શાસનનગરરાજધાની નહિ, તેા રાજ્યધાની—હાવાનુ સભવે છે.૭૫ ઈ.સ.ના ચેાથા-પાંચમા સૈકામાં થયેલા શ્રીસ ંધદાસગણિવાચક-વિરચિત૭૬. “વસુદેવ’િડી’” નામના પ્રાકૃત કથાગ્રંથના પ્રથમ ખંડમાં “સારટ્ટફૂલ” “સુર” અને ગિરિનગરના ઉલ્લેખા આવે છે, એ ઉપરથી સારાષ્ટ્રના સમુદ્રકાંઠો જલ-વેપાર. માટે જાણીતા હતા અને ગિરિનગર સ્થલ-વાણિજ્યનું કેદ્ર હતું એમ જણાય છે. “ હવે ગિરિનગરના સંદર્ભ જોઈએ. ઉજ્જયિનીમાં સાગરચંદ્ર નામના શ્રીમંત વેપારી હતા. એને સમુદ્રદત્ત નામે પુત્ર હતા. સમુદ્રદત્ત અમુક ધટના જોઈ સ્ત્રીએટમાં વિરકત થઈ જાય છે.. અને પરણવાની ના પાડે છે. એના પિતા સાગરચંદ્ર વેપારના બહાને “સુરò-'' માં આવે છે અને ગિરિનગરમાં ધન સાવાહની દીકરી ધનશ્રી સાથે, યાગ્ય શુલ્ક આપી, સમુદ્રદત્તની સગાઈ કરી, લગ્નની તિથિ નક્કી કરી પાછે ઉજ્જયિની આવે છે, અને સમુદ્રદત્તને કહે છે: “ પુત્ર, ગિરિનગરમાં મારું “ભંડ’–“ભાણ્ડ” (માલ) છે તે માલને આપણે વિનિયેાગ કરીએ, માટે મિત્રા સાથે તું ત્યાં ચાલ’ સમુદ્રદત્તના મિત્રાને વિવાહની વાત કરી, પણ સમુદ્રદત્તને ન કરી. બધા પાછા ગિરિનગર' આવે છે. ત્યાં સમુદ્રદત્ત ધનશ્રીનું પાણિશ્રહણ કરે છે, પરંતુ ધનશ્રીના આવાસમાં જઈ એને છેતરીને પેાતાના મિત્રાના આવાસમાં ચાલી જાય છે. સવારમાં શૌચ નિમિત્તે ગિરિનગરની બહાર નીકળી મિત્રોની નજર ચૂકવીને એ નાસી જાય છે. k, "" “સમુદ્રદત્ત દેશાંતરામાં ભટકી કેટલાક કાળે પાછે ગિરિનગર કાપડીના વેશમાં આવે છે. એનાં નખ, કેશ, દાઢી અને રુવાંટી વધી ગયાં છે, એટલે એને કોઈ ઓળખી શકે નહિ. એવામાં એણે ધન સા વાહને (એના) આરામમાં (બગીચામાં) આવેલા જોયા. એને પ્રણામ કરી સમુદ્રદત્તે કહ્યું : ‘હું તમારા આરામમાં કર
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy