SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ મો કાલથી ગુપ્તકાલ [×. શાસન-અધિષ્ઠાન ઉજ્જયિનીમાં રાખતા, અને એની દક્ષિણ-પશ્ચિમે આન-સુરાષ્ટ્ર માટે શાસન-અધિષ્ઠાન ગિરિનગર રાખતા. આ યાજના યવનેા ક્ષત્રા અને ગુપ્તોના કાલ દરમ્યાન પણ ચાલુ રહી લાગે છે; ૪૯] ચંદ્રગુપ્ત મૌર્યે પુરાણ-પ્રસિદ્ધ હારવતીને બદલે ગિરિનગરને પેાતાનું શાસનનગર બનાવ્યું એમાં એ પેાતાના પ્રદેશના અનુભવને અનુસર્યા હાય એમ લાગે છે. પાટલિપુત્રમાં વસતા એ સમ્રાટની નજર આગળ એવુ ગિરિત્રજ (રાજગૃહ) હતું. ગિરિત્રજ એટલે ગિરિઓને વાડા. સારાષ્ટ્રમાં આવું સ્થાન ચંદ્રગુપ્તને અથવા એના અધિકારી પુષ્પગુપ્તને ઊયત્ અને સમીપના ગિરિએના વાડામાં સૂઝે એ સંગત છે. હરિવ ંશની અનુશ્રુતિનુ તથ્ય સ્વીકારીએતે એ ભોંયે ગિરિપુરને ‘ગિરિનગર' બનાવ્યું એમ માની શકાય. જૂની વસાહતા ઉપર કે પાસે નવી વસાહત વસાવાની પ્રણાલી ખ઼તિહાસ-પ્રસિદ્ધ છે. 16 જનપદ વસાવવાની બાબતની ચર્ચા કરતાં કૌટિલ્ય૩૭ ‘ ભૂતપૂર્વ ’’ એટલે કે જ્યાં પહેલાં વસવાટ હાય ત્યાં પણ જનપદ વસાવવાના વિકલ્પ આપે છે.૩૮ ચંદ્રગુપ્તે કે એના અધિકારીએ ગિરિપુર પાસે કે એની ઉપર · ગિરિનગર ’ વસાવ્યુ` હોય કે તદ્દન નવુ ગિરિનગર વસાવ્યું હોય તેા એમાં પણ કૌટિલ્યનુ સમર્થાંન છે. એ જાત જાતના દુર્ગાના વિધાનની ચર્ચા કરતાં “ પાત દુર્ગં ''ની સૂચના કરે છે. આવા દુર્ગી પ્રસ્તર એટલે કટક-શિલાઓને—“ ગુહા ” એના હાય. અહીં ગુહાના અર્થ સાદી ગુફા નથી લાગતા, પણ ગિરિમાંની અંદરની ખાણા કે એવા ગૃહન કરે-સંતાડે તેવા પ્રદેશ, (અંગ્રેજીમાં જેને ravine કહી શકાય તેવું સ્થાન હોય) એમ લાગે છે. નદીદુર્ગા અને પતદુ જનપદના સંરક્ષણનું સ્થાન છે.૩૯ ܙܙ કૌટિલ્યે . “ સમુદય ''ના સ્થાનની—સ્થાનીયની રચના વિશે જે કહ્યું છે તે ગિરિનગરને ઠીક લાગુ પડે એવુ છે. સમુદય-સ્થાન એટલે રાજ્યાધિકારસ્થાન, (Seat of Sovereigns) અને સ્થાનીય એટલે કિલ્લાવાળી રાજધાની (Fortified Capital) એવા શામ શાસ્ત્રી અ કરે છે.૪૦ આવુ સ્થાનીય જનપદની મધ્યમાં હાવું જોઈ એ, ગિરિનગર એ સૌરાષ્ટ્ર જનપદની લગભગ મધ્યમાં ગણાય. સ્થાનીયતું નિવેશન વાસ્તુવિદ્યા કે વાસ્તુવિદે પ્રશસ્ત ગણે તેવા દેશમાં, નદીઓના સંગમસ્થાને અથવા ન સુકાતું હાય તેવા હદના અંકમાં અથવા કુદરતી સરોવર ૐ માનવરચિત તળાવના અંકમાં કરવુ. એને આકાર ગાળ હાય, લંબચોરસ હાય અથવા ચારસ હાય. વાસ્તુની આવશ્યકતા પ્રમાણે (વાસ્તુવશે), અને જ્યાં પાણી
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy