SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૦]. મૌર્યકાલથી ગુપ્તકાલ [ પાર. બ્રાહ્મણોએ ઉપર્યુક્ત શરતો કબૂલ કરી ત્યારે છવદેવસૂરિએ એકાંત સ્થાનમાં જઈ પોતાના પ્રાણ ખેંચી ગાયના શરીરમાં પ્રવેશ કરાવ્યા. ગાય ઊઠીને બહાર ગઈ કે તરત આચાર્યે પોતાના પ્રાણ સંકેલી લીધા. આ પ્રસંગ પછી છે અને બ્રાહ્મણે વચ્ચે કદી કલેશ થયો નહિ. છવદેવસૂરિએ મરણ નિકટ જાણી ગની વ્યવસ્થા કરી, અનશનપૂર્વક સમાધિમરણ પ્રાપ્ત કર્યું. આ આચાર્યના સ્વર્ગવાસ સમયે જ પેલા યોગીને આચાર્ય મહાત કર્યો હતો તે વાયડમાં આવ્યું અને મૃતક વદેવસૂરિનું મોં જોવા એણે વિનંતી કરી. કેમકે છવદેવનું કપાલ એક ખંડનું હોવાથી એને એ લેવું હતું, પરંતુ આચાર્ય અગાઉ આપેલી સલાહ મુજબ એ કપાલ ગણવછેદકે ફેડી નાખ્યું હતું તેથી એ ગીને ઈરાદો બર ન આવ્યો. એણે નિરાશ વદને જણાવ્યું: વિક્રમાદિત્ય અને આ આચાર્યને એક–ખંડ કપાલ હતું, જે એક ભાગ્યશાળી માનવીનું લક્ષણ ગણાય છે. એ પછી યોગીએ આચાર્યના અગ્નિસંસ્કારવિધિમાં ભાગ લીધે. પં. શ્રી કલ્યાણવિજયજી છવદેવસૂરિના સમય વિશે “પ્રબંધાર્યાલોચન.” (પૃ. ૩૪)માં નોંધ કરે છે : “વિક્રમાદિત્યના મંત્રી લીંબાએ વાયડમાં ચૈત્યને ઉદ્ધાર કરાવ્યાનો અને વિક્રમ સંવત ૭ માં છવદેવસૂરિએ એની પ્રતિષ્ઠા કરાવ્યાને, પ્રબંધમાં ઉલ્લેખ છે અને આ ઉપરથી છવદેવસૂરિ વિક્રમાદિત્યના સમકાલીન હતા એમ માનવાને કારણ મળે છે, પણ વાસ્તવમાં એ આચાર્ય એટલા બધા પ્રાચીન નહોતા એમ પ્રબંધની કેટલીક વાતો ઉપરથી સિદ્ધ થાય છે. પહેલી વાત તો એ જ છે કે દેવ પ્રથમ શ્રુતકીર્તાિના શિષ્ય સુવર્ણકર્તિ નામે દિગંબર મુનિ હતા એમ પ્રબંધકારે જણાવ્યું છે, શ્રુતકીતિ કયારે થયા એ આપણે જાણતા નથી, છતાં બંને સંપ્રદાયના લેખ ઉપરથી એટલું તો નિશ્ચિત છે કે વિક્રમની બીજી શતાબ્દીમાં દિગંબર અને તાંબરની પરંપરાઓ જુદી પડી હતી.૩૭ આ સ્થિતિમાં છવદેવને પ્રથમાવસ્થામાં દિગંબર માનીને એમને વિક્રમાદિત્યના સમકાલીન માનવા યુક્તિસંગત નથી.” છેવટે તેઓ નિર્ણય કરતાં જણાવે છે કે “પ્રસ્તુત પ્રબંધના ચરિતનાયક છવદેવમૂરિ પ્રસિદ્ધ વિક્રમાદિત્યના સમયના નહિ, પણ એ સમયથી લગભગ ૫૦૦-૬૦૦ વર્ષ પછીના પુરુષ હતા. લલ્લ શેઠ દ્વારા જે બ્રાહ્મણે એ જૈનોની સાથે શરતે કરેલી તે બ્રાહ્મણે કાલાંતરે સત્તાહીન અને જાગીરહીન થઈ જતાં જૈનોના આશ્રિત ભોજકે થયા હતા એમ હું માનું છું. ૩૮
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy