SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ મૌર્યકાલથી ગુપ્તકાલ [પરેિ. વર્ણવે છે, જે કે એ મેટાં વહાણે પર ભાગ્યેજ હુમલો કરતી. ૧૮૦૩ અને ૧૮૦૮ વચ્ચે (Low's Indian Navy, I. 274) બેટમાંથી આવેલા ચાંચિયાઓ એમનાથના જીર્ણ શીર્ણ મંદિરમાં જઈ વસ્યા. ૧૯૨૦ માં જ્યારે અંગ્રેજોએ વાઘેર પાસેથી બેટ અને દ્વારકા લીધાં ત્યારે ચાંચિયાઓમાં વાઘેરે ઉપરાંત વાઢેલો-રાઠોડેની શાખા, ભટ્ટીઓ, ખારવા, લોહાણું, મકવાણા, રાઠોડ અને વાધરીઓ હતા. ચૌરની નિશાની આરમડાના પાડોશી સરદારમાં રહી.+ + આ વાઢેલે હેમિલ્ટન (ઈ. સ. ૧૭૨૦)ના Warels of Chance (New Account I. 141) હોવાનું જણાય છે. આ ચાન્સ તે દિવ પાસેનું ચાંચ છે; એ જે પરથી ભાટિયાઓને ચાંચિયાઓનું મુંબઈનું નામ મળ્યું છે તે સ્થળ છે. ૧૮ મી. સદીના અંતની નજીકમાં ચાંચના ભાટિયાઓએ થાણાના સમુદ્રતટ પર દહાણુની પાસે ચાંચિયાઓની વસાહત કરી લાગે છે. મેજર પ્રાઈસ (Memoires of a Field Officer, 322) સુરતથી મુંબઈની મુસાફરી કરતાં એ નામની ચાંચિયાઈ કોમના મુલક એવા ચાંચિયા જંગલમાં થઈને દહાણુ પાસે પસાર થતાં કરેલ સાવધતાભરેલા વેગની નેંધ લે છે (ઈ. સ. ૧૭૯૨ જન). ને સૌરાષ્ટ્રના સરદારોમાંથી દરિયાખેડને જ પ્રેમ જતો રહ્યો નહોતો. ચાલુ સદીની શરૂઆતમાં (ઈ. સ. ૧૮૨૫) ટોડ (Western India 452; Ras Mala I,245 સરખાવો), કેવી રીતે ભાવનગરના બિછ(? વિજય) સિંઘને એને દરબાર એ એને માટે શોખ હતો ને વહાણ બનાવવાં એ એના મુખ્ય રસ અને આનંદનો વિષય હતો, વળી કેવી રીતે કચ્છના રાવ ઘોરે (ઈ. સ. ૧૭૬૦-૧૭૭૮) માંડવીમાં વહાણ બનાવરાવેલું ને સજાવેલું તથા એમાં માણસ પૂરા પાડેલા ને પછી એ વહાણ યુરોપિયન કે બીજી બહારની મદદ વિના સલામત રીતે ઇગ્લેંડની સફર કરી મલબાર-કિનારે પાછું ફરેલું, જ્યાં નૈઋત્યના પવનની મેસમમાં આવી પહોંચતાં એ તુટી ગયું લાગે છે, એ બધું કહે છે.* * સર એ. બન્સ [JI. Bombay Geog. Soc. VI ( 1835) 27,28] પ્રમાણે કચ્છના લોકોની વહાણવટામાંની અને વહાણ બનાવવામાંની ખાસ આવડત કચ્છના રામસિંધ માલમ નામે જુવાન રજપૂત લધે હતી. એ લગભગ એક સદી પહેલાં હેલેંડ જઈને એ કલાઓ શીખેલો (Bombay Gazetteer, . 116. Note 2 જુઓ). ૧૫. ફર્ડ (ઈ. સ. ૧૮૨૨) માનતો કે બધી હિંદુ અસર લિંગ કે ઉત્તરપૂર્વ મદ્રાસમાંથી આવી. ફર્ગ્યુસન (Ind. Arch. 103, Ed. 1876) કહે છે : અમરાવતીના સુંદર અવશેષ દર્શાવે છે કે કૃષ્ણ અને ગોદાવરીના મુખમાંના ઉત્તર અને ઉત્તરપશ્ચિમ હિંદના બૌદ્ધોએ પેગુ, કબડિયા અને છેવટે જાવાના ટાપુમાં સંસ્થાન વસાવેલાં. દેવરનિયર (ઈ. સ. ૧૬૬૬ : Bal's Translation, I. 174) સરખા. મસુલીપટમ એ બંગાળના ઉપસાગરમાં એકમાત્ર એવું સ્થળ છે, જ્યાંથી વહાણો પૂર્વ તરફ બંગાળા, આરાકાન, પેગ, સિયામ, સુમાત્રા, કોચીન–ચીન અને મનિલસ માટે અને પશ્ચિમ તરફ હેરમુઝ, મખા અને માડાગાસ્કર માટે સફર કરે છે. અભિલેખ (Indian Antiguary,
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy