SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ સુ' ] પશ્ચિમી ક્ષત્રપે [ ૧૪૩ મહાક્ષત્રપપદ પામ્યા વિના જ અકાળ અવસાન પામ્યા હોય. સધદામાના વ ૧૪૪ ના ‘મહાક્ષત્રપ’ તરીકેના પ્રાપ્ત સિક્કા આ અનુમાનનું સમર્થન કરે છે. પરમેશ્વરીલાલ ગુપ્તનું આ અંગે એવું મતવ્ય છે કે રુદ્રસેને પેાતાના નાના ભાઈ ને ક્ષત્રપપદ આપવાને બદલે પેાતાના પુત્રને આપ્યું, પરિણામે ગાદી માટેના સંધ માં સધદામાના હાથે પિતા-પુત્રે જાન ગુમાવ્યા હેાય; ૬૦ જોકે આ માટે કોઈ સબળ પુરાવા નથી. અહીં એવી પણ અટકળ થઈ શકે કે આવી કોઈ લડાઈ ગાદી માટે ન થઈ હોય, પણ ભાગ્યવશાત્ રુદ્રસેન અને પૃથિવીષેણ એક જ વર્ષે એકાએક અવસાન પામ્યા હોય. સઘદામા રુદ્રસેન – પૃથિવીષેણુના અવસાનના કારણે સધદામા શકે વર્ષ ૧૪૪ માં કાયદેસર વારસદાર તરીકે સીધેા જ ‘મહાક્ષત્રપ’ બનેલા જણાય છે, કેમકે એના ‘ક્ષત્રપ' તરીકેના સિક્કા પ્રાપ્ય થયા નથી. એના સિક્કાએ માત્ર વર્ષ ૧૪૪ અને ૧૪૫ એમ એ વના મળ્યા છે, આથી સધદામાના અતિ અલ્પ શાસનકાળના સંદર્ભોમાં અળતેકર એવુ સૂચવે છે કે અજમેર-ઉદેપુર પ્રદેશના માલવેા સાથેના યુદ્ધમાં એ માર્યા ગયા હોય.૬૧ રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં સધદામાને વર્ષ ૧૪૯ ના સિક્કો છેકર તેના આધારે પરમેશ્વરીલાલ ગુપ્ત સૂચવે છે કે સ ધદામા માલવે! સાથેના યુદ્ધમાં માર્યા ગયા નહિ હોય, પણ એ વર્ષ ૧૪૯ સુધી સત્તાધીશ હશે, પર ંતુ એના અગ્રજ રુદ્રસેનના ‘મહાક્ષત્રપ' તરીકેના વ` ૧૪૪ અને અનુજ દામસેનના ‘મહાક્ષત્રપ' તરીકેના વર્ષ ૧૪૫ ના ઉપલબ્ધ સિક્કાએ ગુપ્તના મંતવ્યને નિરાધાર ઠરાવે છે. અળતેકરના સૂચન માટે કાઈ સાપેક્ષ પુરાવા ન હાઈ એ પણ સ્વીકાય બનતું નથી. ૬૩ દામસેન એ સંધદામાના અનુજ હતા. એના ‘ક્ષત્રપ' તરીકેના સિક્કા ઉપલબ્ધ ન હાઈ એ વર્ષ ૧૯૫ માં સીધા જ ‘મહાક્ષત્રપ’ બન્યા હાવાનું ફલિત થાય છે. એના પુરોગામી સંધદામાના સિક્કા પરનું છેલ્લુ નાત વર્ષ ૧૪૫ હાઈ એ આ વર્ષોંના ઉત્તરભાગમાં સત્તાધીશ બન્યા હશે. એના સિક્કાએ પરનું છેલ્લું જ્ઞાત વ ૧૫૮ હેક૪ અને એના અનુગામી યશે।દામા ૧ લાના સિક્કા પર ૧૬૦ નું વ મળે છે, આથી કહી શકાય કે એણે તેરેક વર્ષી રાજ્ય કર્યુ” હશે. એના ચાંદીના વર્ષ ૧૪૮ અને ૧૪૯ ના સિક્કા પ્રાપ્ય ન હતા ત્યારે પરમેશ્વરીલાલ ગુપ્તે માનેલુ કે એણે શાંતિથી રાજ્ય કયુ" નહિ હાય,૬પ પરંતુ એના પાટીનના થેાડા સિક્કાઓ મળ્યા છે, જેમાં એક પર વર્ષ ૧૪૮ છે,૬૬ જે
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy