SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૮] ઇતિહાસની પૂર્વભૂમિકા પશુઓને સંહાર કરવા પૂરતાં જ એ પ્રબળ હતાં. એમને શત્રુઓ ચડી આવશે એવી કોઈ ધારણા હતી નહિ અને તેથી વિકસિત પ્રકારનાં લડાયક હથિયારોની એમને જરૂર નહતી. મિશ્ર ધાતુ બનાવવાના એમના જ્ઞાનના વિષયમાં પૂરતા પુરા છે કે તેઓ ચેખું તાંબું પ્રપ્ત કરી કાંસું બનાવવાને માટે જોઈતા પ્રમાણમાં કલાઈ ઉમેરતા લેથલમાંથી મળેલા તાંબા-કાંસાના પદાર્થોમાં રહેલી કલાનું પ્રમાણ બતાવતે નીચેને કઠે એવા અભિપ્રાયને ટેકે આપે છે કે ઓજાર અને હથિયાર અથવા કતરણીઓ અને ભાલાના ઉત્પાદન કરતાં બંગડીઓ અને સળીઓની બનાવટમાં કલાઈ વધુ પ્રમાણમાં વાપરતા હતા. તેઓ એ પણ જાણતા હતા કે કલાઈ દસ ટકાથી વધુ વાપરવામાં આવે તે એજાર બટકણું થઈ જાય; તેથી, ‘નીચે બતાવ્યું છે તેમ, સામાન્ય રીતે ઓછા ટકા વાપરવામાં આવતા - અંક પદાર્થ કલાઈને અંશ ૧. ભાલું ૨.૨૭ ટકા ૨. કોતરણી અરીસે ૫૪૭ ફાંસવાળી સળી ૯.૦૨ ” ટાંકણું ૯૬૨ ” ૬. બંગડી ૧૧.૮૨ ” * ૭. સળી ૧૩.૮૦ ” ૩.૯૬ ” = = . : લોથલ અને રંગપુરમાંના તાંબા અને કાંસાના પદાર્થોમાંનાં મિશ્રણ અને હુન્નરપદ્ધતિના કાળજીપૂર્વક અભ્યાસ પછી ભારતના પુરાવતુકીય રસાયણશાસ્ત્રી છે. બી. બી. લાલ કહે છે કે “આ પદાર્થોને અભ્યાસ બતાવે છે કે એ સમયના કારીગરને ઢાળા પાડવાની અને ઘડવાની હુન્નરપદ્ધતિને સારે ખ્યાલ હતો. અનુપચયન કરનાર (de-oxidising) તવ તરીકે અને તાંબાને સખત કરવા માટે કલાઈને ઉપયોગ પણ જાણતા હતા.” તાંબાના પદાર્થોના વિષયમાં એ નોંધવું જોઈએ કે સેટમાંના કલાઈના અંશનું પ્રમાણ ૨.૬૦ થી ૪.૦૯ ટકા સુધીનું રહેતું, પરંતુ ધરીમાં એ ૫.૨૮ ટકા સુધીનું થતું. આમ છતાં રંગપુરમાંથી મળેલી બંગડીમાં, લોથલની બંગડીઓમાં પણ છે તેમ, કલાઈ ૧૧.૦૭ ટકા હતી. લોથલના ધાતુકારોએ તૈયાર કરેલાં ચેડાં ચોક્કસ પ્રકારનાં હથિયારોની હવે વિચારણા કરીએ. લોથલ સહિતનાં હડપ્પીય સ્થળોમાંથી મળેલું ખચકા સાથેનું
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy