________________
(ક) ડિયા:
ક્રિયા એટલે વ્યાપાર, પ્રયોગથી કે વિસસાથી. જીવ-અજીવનું પરિણમવા રૂપે થતો વ્યાપાર તે ક્રિયા. એક સ્થળેથી બીજા સ્થળે જવા રુપ ક્રિયા છે.
ક્રિયા ત્રણ પ્રકારની છે. (૧) પ્રયોગાદિથી (૨) મિશ્રપરિણામથી (૩) વિસસાથી.
(૧) પ્રયોગ પરિણામ દિયા : જીવના પ્રયત્નથી જે થાય તે પરિણામ ક્રિયા કહેવાય. જેમકે શરીરમાં થતી જે કોઈપણ ક્રિયા છે તે પ્રયોગ પરિણામ ક્રિયા છે. જો જીવમાં વીર્ય પરિણમન સ્વભાવ ન હોય તો એક પણ પરિણામ ક્રિયા ન થાય અથવા આહારનું ગ્રહણ કરવું તે અભિસંધિ વીર્ય અને આહારને ગ્રહણ કર્યા બાદ આહારનું પચાવવું, અર્થાત્ સાત ધાતુરૂપ પરિણમન પમાડવું એ અનભિસંધિ વીર્યના કાર્યરૂપ ક્રિયા છે.
(૨) મિત્ર પરિણામ કિયા : કુંભારને ઘડા બનાવવામાં જે સાધન સામગ્રીની સહાય લેવી પડે તે ક્રિયા મિશ્ર પરિણામી ક્રિયા કહેવાય. જેમકે માટી, ચક્ર વગેરે, સાયકલ ચલાવવાની પ્રવૃત્તિ વગેરે. બીજાની સહાય લઈને જીવ જે પણ પ્રયત્ન કરે તે મિશ્ર પરિણામ ક્રિયા કહેવાય.
(૩) વિસ્મસા પરિણામ દિયા: પ્રેરણા વિના જે સ્વભાવિક ક્રિયા થાય છે. મેઘધનુષ્યનું સ્વાભાવિક રીતે થતું નિર્માણ. જેમાં જીવકે કોઈપણ સાધન સામગ્રીનો પ્રયોગ થયા વિના જે ક્રિયા થાય છે. ચંદ્રની પ્રભા, સૂર્યનો પ્રકાશ વગેરે. (ડ) પરાપરત્વ:
પરત્વ અને અપરત્વ એ બંને પરસ્પર સાપેક્ષ છે. એના ત્રણ ભેદ છે. પરત્વ એટલે મોટાપણું, જૂનાપણું. અપરત્વ એટલે નાનાપણું, નવાપણું. (૧) પ્રશંસાકૃતઃ સર્વનય પ્રમાણ સ્યાદવાદ શૈલીથી જૈન ધર્મ સર્વ ધર્મોથી
શ્રેષ્ઠ ધર્મ છે. એકાંત દષ્ટિથી બીજા ધર્મો હલકા છે. (૨) ક્ષેત્રકૃત: અમદાવાદથી અંબાજી ક્ષેત્રદૂર છે. અમદાવાદથી આણંદ નજીક છે. (૩) કાળકૃત ૧૦ વર્ષનો છોકરો ૧૮ વર્ષના છોકરા કરતાં નાનો છે. જૂનાપણું - આજના બનાવેલા ઘડા કરતા ગઈકાલનો બનાવેલ ઘડો જૂનો છે.
અજીવ તત્ત્વ 81