________________
સ્વભાવમાં ભળી ગયો છે. મોહિની નામના વૃક્ષની છાયામાં ગયેલો પુરુષ ત્યાં જ ભમવા માડે. આમ પુગલના મોહમાં ફસાયેલું જગત પણ ભમી રહ્યું છે. આત્મ સ્વરૂપથી અજ્ઞાત જીવો પુદગલ છાયામાં કઈ રીતે ફસાય છે?
છાયાની અસર આત્મા પર વિશેષથી છે. અરિસામાં પોતાના શરીરમાંથી ફૂવારા રૂપે છૂટા થતા પુદ્ગલસ્કંધો અરિસામાં પ્રતિબિંબિત થાય અને તેને જોવામાં તેને અપૂર્વ રસ પડે છે. પોતાના આત્માને જોવાને બદલે પોતાના દેહમાંથી નીકળેલી, જુદી પડેલી વર્ગણા જે અંકિત થાય છે તેને પોતાનું રૂપ માની રાજી થાય છે. મેગેઝીનમાં, પત્રિકામાં પોતાના ૫ગલમય ફોટાને જુએ અને પોતાની મહાનતા ઉચ્ચતા લાગે. મારો ફોટો, એવી મમતાથી દેહની સાથે ગાઢ જોડાઈ જાય. આત્માનું વિસ્મરણ થવા વડે આત્માનું ભાવમરણ સતત ચાલ્યા કરે છે. કામરાગ- સ્નેહારાગથી બંધાયેલ જીવો વ્યકિતની ગેરહાજરીમાં તેના ફોટા (પુદ્ગલસ્કંધોના જ પિંડ) ને જોઈ જોઈ રાગ-સ્નેહને પ્રગટ કરી આત્માનો પ્રેમ ગુમાવે છે. જયારે જ્ઞાની વિવેકી આત્માઓ પ્રભુ, ગુરુ આદિ ગુણી આત્માઓના દેહ ફોટાને જોઈ તેના આત્માને યાદ કરી તેના ગુણ વૈભવમાં ખોવાઈ પોતાના આત્માને પવિત્ર- નિર્મળ કરે છે. વળી જેનો દેહ મોહથી મુકત થયો, ગુણોથી વાસિત થયો તેના દેહમાંથી નીકળતા પુદ્ગલસ્કંધો પણ ઉત્તમ જીવો પર સારી અસર કરે છે. તેથી ઉત્તમ આત્માઓના ફોટાદિનું આલંબન લાભનું કારણ બને છે. પણ તેમાં તેના ગુણ પ્રાપ્તિનું અર્થપણું જરૂરી છે.
સંસાર એટલે પુલોનો જીવની સાથે જે સંયોગ થયો છે તે જ્યારે અનાદિ પુદ્ગલના સંયોગથી છૂટા થવું તે મોક્ષ અર્થાત્ પુદ્ગલનાં સંયોગથી છૂટા થવાની સાધના કરવી તે જ મોક્ષમાર્ગની આરાધના છે. ___सायासायं दुक्खं
(વિશેષ આવશ્યક) • સાતા-અસાતા બન્ને દુ:ખ રૂપઃ
પરનો સંયોગ એ જ આત્મા માટે દુઃખનું કારણ છે. પરના (પુદ્ગલના) સંયોગથી અવ્યાબાધ સ્વરૂપવાળા આત્માને સાતા-અસાતાની પીડા પ્રાપ્ત થાય છે માટે તેમાંથી મુકત થવું તે મોક્ષ. સાતા-અસાતા બન્નેમાં અરૂપી એવા અવ્યાબાધ
અજીવ તત્વ | 41,