________________
અધ્યાત્મયોગીઓ અંધકાર કે પ્રકાશમાં આત્મસાધનામાં લીન બની મોહને પ્રવેશવાનો અવકાશ ન આપે.
અધ્યાત્મયોગીઓ અંધકારમાં જૂના સ્વાધ્યાયનું પરાવર્તન કરવા વડે જાપ – ધ્યાન વડે મોહને પ્રવેશવાનો અવકાશ ન આપે અને પ્રભાત થાય ત્યારે આવશ્યક ક્રિયા કરવા વડે તથા નૂતન સ્વાધ્યાયના ઘોષ વડે કેવલજ્ઞાનરૂપી સૂર્યોદય જલદી પ્રગટે તે માટે વધારે ઉદ્યમશીલતા માટે ઉત્સાહી હોય. (૧)છાયા પ્રકાશના આવરણમાંનિમિત્તરૂપપુદ્ગલોના પરિણામને છાયાકહેવામાં
આવે છે. દર્પણ અથવા પ્રકાશમાં પડતું જે પ્રતિબિંબ તે બાદર પરિણામી સ્કંધોમાંથી પ્રતિ સમય જળના ફુવારાની જેમ નીકળતા અષ્ટસ્પર્શી પુદ્ગલ સ્કંધોનો સમુદાય છે જે પ્રકાશના નિમિત્તથી તદાકાર પીંડિત થઈ જાય છે. છાયાના બે પ્રકાર:
અ. આકૃતિ રૂપ છાયા : દિવસમાં શૂલપદાર્થની છાયા. અભાસ્વર (સ્વયં પ્રકાશિત ન હોય તેવું) એવા જમીનાદિ માત્ર આકૃતિ રૂપ પર શ્યામ પડે છે અને રાતના તે જ પદાર્થની છાયા અભાસ્વર એવા જમીન પર ગાઢ કાળી પડે.
બ. તસ્વર્ણ પરિણામ રૂપ છાયાઃ (દર્પણમાં જે પ્રતિબિંબ પડે છે તે). જયારે (સ્વંય પ્રકાશિત) ભાસ્વર એવા દર્પણાદિમાં તેના સન્મુખ રહેલા પદાર્થોની છાયા પદાર્થના દેહના વર્ણવાળી પડે છે. આવી રીતે ભાસ્વર એવા જે દર્પણાદિમાં દેહની છાયા પડે છે તે દર્પણાદિમાં દેહમાંથી નીકળતા પુદ્ગલ સંક્રાંત થાય છે અને દર્પણમાં સંક્રાંત થયેલા દેહના પુદ્ગલો પ્રકાશના યોગથી પ્રતિબિંબ તરીકે દેખાય છે. છાયા બાદર સ્કંધમાંથી જ નીકળે, સૂક્ષ્મમાંથી નહીં.
ઝેરી વૃક્ષની છાયા ઝેરની અસર કરે:
છાયા વાયુની જેમ ચલાયમાન થાય છે. કઈ રીતે? ઝેરી વૃક્ષની છાયા પણ ઝેરી હોય છે. તેની છાયામાં જનારના જીવો પર ઝેરની અસર થાય. મોહથી વાસિત હોય, ખરાબ સંસ્કારોથી વાસિત હોય તો તેનો પડછાયો પણ લેવાય નહીં. નહીં તો તેના સંસ્કાર નબળા જીવો પર પડતા વાર લાગે નહીં. અનાદિથી આત્માની રમણતાને બદલે ભ્રમણતાથવાનું કારણ પણ આજ છે કે પુગલના સ્વભાવની છાયા આત્મા પર પડી અને તેનાથી વાસિત થયેલો આત્મા પોતાના સ્વભાવને ભૂલી જુગલ
40 | નવ તત્ત્વ