________________
જ્યારે બાદર પરિણામ સ્કંધોમાં આઠ સ્પશાદિ સર્વ હોય શકે. પરમાણુ શાશ્વત છે.
પરમાણુદ્રવ્યથી શાશ્વત છે તેમ ગુણથી પણ શાશ્વત છે, છતાં તેના ગુણો પરિવર્તન પામવાના સ્વભાવવાળા છે. એક (પર્યાયરૂપે) પરમાણુમાં રહેલો લાલ વર્ણ સદા લાલ જ રહે તેવો નિયમ નહીં તે પરાવર્તન પામી સફેદ આદિ પણ થઈ જાય અર્થાત્ તે ગુણથી શાશ્વત છે; પણ ગુણના પર્યાયથી પરાવર્તનશીલ છે. સ્વતંત્ર પરમાણુ પણ સદા સ્વતંત્ર રહેતો નથી. જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ સુધી તે સ્કંધ સાથે જોડાઈને રહે છે પછી તે જુદો પડે અને બીજા સ્કંધ સાથે જોડાઈ જાય.
જઘન્ય બે પરમાણુઓનો સ્કંધ બને. વધતા સંખ્યાત, અસંખ્યાત, અનંત કે અનંતાનંત પરમાણુઓનો સ્કંધ બને. જીવને ઉપયોગી જે અંધ બને છે તે ચોથા અનંતથી અધિક અને પાંચમાં અનંતથી ન્યૂન કે એટલા પ્રમાણ પરમાણુ સ્કંધ બને ત્યારે તે જીવોપયોગી ગ્રહણ કરવા યોગ્ય બને, એનાથી ઓછા પરમાણુના સ્કંધ જીવ ગ્રહણ કરતો નથી. શાશ્વત પ્રતિમા આકારથી શાશ્વત છે પણ અણુઓ પરિવર્તનશીલ છે.
શાશ્વત પ્રતિમામાં પણ પરમાણુ બદલાય.
શાશ્વત પ્રતિમામાં પણ પરમાણુ સંખ્યાત કે અસંખ્યાત કાળ સુધી રહે પછી અવશ્ય છૂટા પડે પણ તેવાને તેવા જ બીજા પરમાણુરૂપે તે ગોઠવાઈ જાય. આથી પ્રતિમા આકારથી શાશ્વત છે.
દારિકાદિ બાદર વર્ગણા જ ઈન્દ્રિયનો વિષય બને. જીવોપયોગી જે આઠ વર્ગણા છે તેમાં ચાર બાદર અને ચાર સૂક્ષ્મ પરિણામી છે. ઓદારિક, વૈક્રિય, આહારક, તેજસ. શરીરાદિ જે કંઈ વસ્તુ આંખે દેખાય છે તે બધી દારિક વર્ગણાના રૂપે છે. વૈક્રિય વર્ગણા દેવ નારકના શરીર રૂપે જે દેવો કોઈને મૂળરૂપે પ્રત્યક્ષ થાય તો દેખાય અથવા કોઈને વૈક્રિય લબ્ધિ હોય તો તે વિવિધ રૂપો કરે ત્યારે દેખાય. જેમ અંબડ પરિવ્રાજકે વિષ્ણુ, મહેશ અને છેલ્લે તીર્થકરનું રૂપ વિકુડૂ સુલતાના સમ્યત્વની કસોટી કરી પણ તે જોવા ન ગઈ, સમકિતથી ચલાયમાન ન થઈ. ર૫ મા તીર્થંકર હોઈ શકે નહીં આથી આ કોઈ માયાજાળ હશે એમ માની તે ન ગઈ.
28 | નવ તત્ત્વ