________________
કરવાથી પાણી રૂપ બને. આમ વાયુ પાણીની યોનિ છે. પાણીમાં ચારે ગુણનો અનુભવ વ્યક્ત રીતે થાય. જેમ આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય આત્મદ્રવ્યના વિશેષ લક્ષણ સ્વભાવ છે તેમ અન્ય દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલના તે વિશેષ ગુણ સ્વભાવ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચાર બીજા કોઈ પણ દ્રવ્ય ધર્માસ્તિકાયાદિ વિગેરે કોઈ પણ દ્રવ્યમાં અંશથી પણ જોવા નહીં મળે અને પુદ્ગલ દ્રવ્યમાં તે અવશ્ય જોવા મળશે.
આત્માના લક્ષણોથી પુદ્ગલના લક્ષણો સંપૂર્ણ વિપરીત છે અને તે ગુણોમાં સુખની ભ્રાંતિ જ આત્માના અહિતનું મુખ્ય કારણ છે. આત્મા પોતાના સ્વભાવમય બનવાને બદલે પુદ્ગલના વર્ણ, ગંધ, રસાદિ સ્વભાવમય બનવા કે તેને માણવામાં પોતાનું સુખ માને છે, તે જ તેની પીડાનું મુખ્ય કારણ છે. પુદ્ગલના આ ચાર લક્ષણો છે. દરેક પુદ્ગલ દ્રવ્યમાં સદા માટે તેનું અસ્તિત્ત્વ રહે પણ તેનું સતત પરિવર્તન થતું હોય છે. જેમકે વર્ણ (રંગ) તે કોઈપણ પુદ્ગલમાં રહેવાના, પણ કાયમી એક જ વર્ણ હોય તેમ નહીં. જેમ ઊગતી વખતે પાંદડા લાલાશ ધારણ કરે, પછી તે લીલા રંગના થાય અને સૂકાતા તે પાંદડા પીળા રંગ રૂપે પણ થાય. આમ એક જ વર્ણ સદા માટે ન રહે પણ વર્ણરૂપે તેમાં તે ગુણ રહેવાનો જ જયારે પર્યાય રૂપે રંગ ફરતો જાય.
પૂર–ાતનીä શરીરાતિના પુત્રા: શરીરાદિરૂપે પુદ્ગલ સ્કંધો ભેગા થાય છે અને પાછા તે અંઘો છૂટા થાય છે અર્થાત્ પૂરણગલન સ્વભાવવાળું પુગલ છે.
ग्रहण-धारणादि परिणामत्त्वे सति रूपादिमत्त्वम् रूपादि संस्थान परिणामस्वरूप लक्षणम्।
| (જેને તપ્રદીપ) એક પરમાણુ બીજા પરમાણુને ગ્રહણ ધારણ કરવારૂપ સ્કંધરૂપે બને છે તે પુદ્ગલનું લક્ષણ છે. સ્કંધરૂપે થયેલા પુદ્ગલનું પાછું અમુક કાળે છૂટા થવારૂપ લક્ષણ છે તેથી તે અનિત્ય કહેવાય છે. સ્કંધો વિભાવ ધર્મવાળા છે. प्रायो ग्रहणं दानादि व्यापार समर्थ रूपत्व रूपं लक्षणम् ॥ જે દ્વારા લેવા આપવાનું કાર્ય કરી શકાય છે તે કંધ.
અજીવ તત્વ | 23