________________
પુદગલથી ન્યારા સદા, જે
જાણ અફરસ જીવ તાકા અનુભવ ભેદજ્ઞાનથી, ગુરુગમ કરો સદેવ સંવો.
પુદગલના સામાન્ય લક્ષણ
ગાથા-૧૧ સધયાર ઉોએ, ખભા છાયાતવેહિ આ વષ્ણ સંઘ રસા ફાસા, પુગલાણં તુ લક્ખણી|૧૧|| અર્થ: શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ એ વિશેષ અને વર્ણ, ગંધ,
રસ, સ્પર્શ એ પુદ્ગલોના સામાન્ય લક્ષણો છે. રૂપિણ: પુકાના: જે કોઈ રૂપી વસ્તુ છે તે માત્ર પુદ્ગલ છે- અજીવ દ્રવ્ય છે , બાકી બધા દ્રવ્યો અરૂપી છે. આથી પુગલ દ્રવ્યની જાણકારી અતિ સહેલી છે. ચક્ષુથી માત્ર સ્થલરૂપી દ્રવ્યનું જ્ઞાન થાય સૂક્ષ્મ પરિણામરૂપી દ્રવ્યનું જ્ઞાન ન થાય કેમકે તે ઈન્દ્રિયાતીત છે એટલે કે ઈન્દ્રિયનો વિષય બનતો નથી. તે અવધિજ્ઞાનનો વિષય બને પણ ચક્ષુનો વિષય ન બને. વર્ણ (રંગ), ગંધ, રસ અને સ્પર્શ આ પુદ્ગલ દ્રવ્યના સામાન્ય લક્ષણો છે એટલે દરેક પુદ્ગલ દ્રવ્યમાં આ ચારે લક્ષણો અવશ્ય હોય. કોઈ વ્યકત હોય કે કોઈ અવ્યકત હોય. કોઈ એક વ્યકત હોય તો ત્રણ અવ્યકત હોય જેમકે ગંધના પુદ્ગલો. ગંધનો દૂરથી અનુભવ થાય બાકીના ત્રણ અવ્યક્ત હોય. વાયુમાં બે વ્યકત હોય અને બે અવ્યકત હોય. વાયુમાં ગંધ અને સ્પર્શનો અનુભવ થાય, બેનો અનુભવ ન થાય, પણ બે વાયુ (H,0) ભેગા 22 | નવ તત્ત્વ