________________
૨) નીલ લેયાના પરિણામો ઃ ઈર્ષાળુ, અવર્ણવાદી, અત્યંત કદાગ્રહી, તપ આચાર રહિત, વિષય-લંપટ, શાતાદિ ગારવવાળો, અહિતમાં તત્પર.
૩) કાપોત લેયાના પરિણામો વાંકુ બોલવું, કપટ, સ્વદોષ ઢાંકવા, બીજાને વાણીથી દુભાવવા, અન્યની સંપત્તિ માટે પાપ વ્યાપાર કરવા.
૪) તેજોલેસ્થાના પરિણામો : માનાદિ કષાયની તીવ્રતા ન હોય, કુતૂહલ કૌતુક રહિત, ઈંદ્રિય દમન, ચપળતા રહિત, ધર્મશાસ્ત્ર શ્રવણ, સ્વાધ્યાય, રુચિ, મોક્ષની ઈચ્છા હોય.
૫) પલેક્ષાના પરિણામો રાગદ્વેષની ઉપશમતા, ઈંદ્રિયમનનું દમન, દયાદિ પરિણામ, ત્રણ યોગોનું શુભમાં પ્રવર્તન, અલ્પ પાપ પ્રવૃત્તિ, જિતેન્દ્રિયપણું હોય.
૬) શુકલલેયાના પરિણામો : આર્તિ રૌદ્ર ધ્યાનનો અભાવ, ધર્મધ્યાન, શુકલધ્યાન હોય, રાગ-દ્વેષની ઉપશમતા, સમિતિ ગુમિ યુક્ત.
આમ લેગ્યાના આધારે જીવમાં ભાવોની વિવિધતા તથા તરતમતા પ્રગટ થાય છે. (લેયા ફરે તેમ ભાવો ફરે.)
૧) લેયા એ જીવની ભાવનારૂપ છે. ચેતનાની લેગ્યા સહિતની એક અવસ્થા તે ભાવના છે. તે જીવના તેજસ-કાશ્મણ શરીરને સક્રિય બનાવે છે. તે સક્રિય બનતાં તેમાંથી જ તૈજસ કિરણોનું પ્રસારણ થાય તે આભામંડલ છે.
૨) આભામંડળનું વિજ્ઞાન દ્વારા પુરવાર : એક ડોક્ટરે સંવેદનશીલ કેમેરા દ્વારા દંપતિનો ફોટો લીધો તથા એક છોડનાં તરત તોડેલા પાંદડાની ફિલ્મ લીધી તેમાં ચારે બાજુ આભામંડળ દેખાય. ૧૦ કલાક પછી આભામંડલ ન દેખાય.
૩) દરેક વ્યક્તિની ભાવનાનુસારે તેના શરીરની ૩/૪ ફૂટ સુધી આભામંડલ ફેલાય. અત્યંતર વૃત્તિના આધારે શુભ-અશુભ પુદ્ગલોનું આભામંડલ રચાય.
૪) ડૉ. ભાભા અણુસંસ્થાનું સંશોધન : શ્રીમંતો દાનાદિ પ્રવૃત્તિ કરવા છતાં તેઓની આભામંડલ શ્યામ વર્ણવાળી અને ઓછી બુદ્ધિ, ભદ્રિક, પરિણામ, ગમાર જેવા લાગતા પણ જે ધર્મશ્રદ્ધા-નિષ્કષાય, સદાચારી, ઈશ્વરભક્ત, સેવાપરાયણની આભામંડળ ઉજ્જવળ પ્રકાશિત અણુ સમૂહવાળી જોઈ.
૫) પરોપકારીનું આભામંડલનું તેજ ઉજળું.
300 | નવ તત્ત્વ