________________
અશુચિમય સાત ધાતુમય દેહનો પ્રભાવ કે ગમે તેવા સુગંધી પદાર્થો હોય પણ દેહના સંગથી તે પણ અશુચિમય-દુર્ગધમય બનતા વાર નહીં, આથી જલાદિથી દેહનું પવિત્ર થવું તે માનવું જીવની મૂઢતા રૂપ છે. જે દારુણ વિપાકનું કારણ બને.
આત્મા જ્યારે દેહમાંથી નીકળી જાય પછી તરત દેહમાં રહેલી સુગંધ બધી દુર્ગધમાં પરાવર્તન પામી જાય, દેહમાં સમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ શરૂ થાય, દેહ પાસે રહેવું પણ દુષ્કર થાય, આથી તે દેહને જલદી બાળી કે દાટી દેવામાં આવે છે. • ભિક્ષુ કેવા હોય?
પડમંડિતજજયા મસાણેનો ભીયાએ, ભય ભેરવાઈ દિલ્સ. પિવિહ ગુણ-તવોરએ યનિચંન શરીરંચાભિનંબઈ જે-સે-ભિકખાલશા
| (સભિક્ષુ અધ્યયન-૧૦, દશ વેકાલિક) જેણે દેહની મમતા છોડી. વિવિધ તપાદિગુણોમાં તે સદારમનારા અને નિર્ભય થયેલા, ભય ભૈરવાદિ ઉપસર્ગોથી ચલાયમાન નહીં થનારા તેથી જ સ્મશાનાદિમાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહે.
ગજસુકુમાલ મુનિ સ્મશાનમાં દેહાતીત ધ્યાનમાં સ્થિર:
મૃતદેહ જ્યાં દાટવામાં બાળવામાં આવે તેવા પ્રતિકૂળ વાતાવરણમાં યોગી પુરુષો આત્મ ધ્યાનમાં સ્થિર થઈ કેવલજ્ઞાન પ્રગટ કરે. ગજસુકુમાલ અતિ સુકોમલ દેહવાળા છતાં દેહાતીત સાધના માટે જ દીક્ષાના પ્રથમ દિવસે જ સ્મશાનમાં જઈ કાઉસ્સગ ધ્યાનમાં સ્થિર થઈ મહા પ્રતિકૂળ ઉપસર્ગ-જીવતા જ બળવાના ઉપસર્ગમાં પણ ધ્યાનથી ચલાયમાન ન થયા અને દેહબુદ્ધિ ત્યાગ કરી આત્મામાં લીન બની કેવલી થઈ કાયમી દેહાતીત થઈ સિદ્ધ સ્વરૂપને પામ્યા.
(૭) રસ પરિણામ : પ્રેમતણી પરે શીખો સાધો, જોઈ શેલડી સાંઠો; જિહાં ગાંઠતિહાંસ નવિદિસે, જિહાંરસતિહાંનવિ ગાંઠો.
| (શ્રીપાળ-રાસ) આત્મા પ્રેમરસથી ભરેલો છે પણ આપણો પ્રેમ વર્તમાનમાં આવરાઈ ગયેલો હોવાથી તેના વિકારરૂપે, રાગ રૂપી રસપ્રગટ થયો છે. રાગ એ પ્રેમનો વિકાર છે. 244 નવ તત્ત્વ