________________
થાય તે મતિ-શ્રુત જ્ઞાન છે. જ્યારે તે જ્ઞાનમાં મિથ્યાત્વ ભળે ત્યારે તે જ મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન કહેવાય.
માત્ર ચક્ષુથી જોવાના સ્વભાવવાળા આત્માને કર્મરોગના ઉદયે ચર્મચક્ષુથી જોવું પડે.
આત્મામાં કેટલો ભ્રમ? આત્મા જ્ઞાન વડે જોવાછતાં આત્માનું વિસ્મરણ અને મારી આંખ જોઈ રહી છે એવો મિથ્યારોપ. આત્માના પ્રદેશોરૂપી ચમા અને તેમાં જ્ઞાનરૂપી કાચ વડે જોવાના સ્વભાવવાળો હું. કર્મરોગના ઉદયે મારે આંખ વડે જોવું પડે છે તો ક્યારે હું મારી કેવલજ્ઞાન આંખ વડે જોનારો થાઉં? એવા ભાવો આવવા જોઈએ.
આકાર અને રૂપના આકર્ષણ, આદર, આસકિતમાંથી છૂટવાનો ઉપાય :
આત્માનું નિરાકાર અને નિરંજન (અરૂપી) સ્વરૂપ કર્મથી દબાવાના કારણે અને વિકારરૂપે આકાર અને સ્થાનભૂત શરીરમાં ગોઠવાઈ જવાના કારણે પોતાના શેયરૂપ આત્માને (અરૂપી આત્મપ્રદેશોને) કેવલજ્ઞાન પરિણામથી જોવા-જાણવાના સ્વભાવવાળો આત્મા કર્માધિન થઈ રૂપી ચક્ષુ વડે કર્મના ઉદપે આત્માના વિકારભાવને પામેલા દેહ રૂપ-આકાર પર્યાયને સહુ જુએ અને તેને પોતાનું માની લે. પણ શરીરમાં શરીરથી પર રહેલ આત્માને જોતો નથી તેથી તેને રૂપાકાર જોવાનું આકર્ષણ, આદર સહજ તેથી તેની જ રુચિ અને તેને માટે પ્રવૃત્તિ શરૂ થાય. આથી તેમાંથી છૂટવા જ જિનપ્રભુના દર્શન, વંદન, ભક્તિ આજ્ઞા પાલનાદિ કરવાના છે.
ચૈઃ શાનારાણચિભિઃ પરમાણુભિવમ્ નિર્માપિતસ્ત્રિભુવનૈક-લલામ-ભૂત! તાવા એવ ખલુ તેડAણવઃ પૃથિવ્યાં યસમાન મારં નહિ, રૂપમસ્તિ.
(ભક્તામર-૧ર) પરમાત્માના દેહરૂપનું નિર્માણ તીર્થકર નામકર્મ કર્મના ઉદયે, કામ-વિકારને શાંત કરનારા એવા અનુપમ રૂપના પરમાણુ વડે થાય અને તે પરમાણુ પણ તેમનું રૂપ નિર્માણ થાય, તેટલા જ હોય તેનાથી અધિક ન હોય અર્થાત્ તેમના રૂપની આગળ-ત્રણ ભવનમાં બીજા કોઈ તોલે ન આવે. આથી અતિ રૂપવાન દેવદેવીઓ પણ પરમાત્માના રૂપ જોવામાં ભ્રમરપણાને પામી જાય.
236 | નવ તત્ત્વ