________________
માણતા તેમાં આસકત થયા, તે બહિરાત્મા ભાવમાં ડૂબી સંસાર ભ્રમણ સર્જન કરી દુર્ગતિમાં ધકેલાયા.
“सुच्चिय सूरो सो चेव, पंडिओ तं पसंसिमो निच्चं। इद्रिय चोरेहिं सया, न लुटियं जस्स चरण धरणं।।१।।
इद्रिय चवल तुरंगो, दुग्गइ-मग्गाणु धाविरे निच्चं। માવિક મવવો , મરૂ નિ વય-રસદારા”
| (ઇંદ્રિય પરાજય શતક) જગતમાં સાચા તે જ પંડિત છે કે જેનું ચારિત્રરૂપી ધન ઇંદ્રિય ચોર વડે ચોરાયું નહીં. વેગવાન ઘોડાઓથી પણ ચપળ ઇંદ્રિયો આત્મભાન ભૂલેલાઓને દુર્ગતિના માર્ગે બહુ જ ઝડપથી લઈ જનારી છે. આમ ભવના સ્વરૂપને જિન વચન વડે વિચારી જિનવચન-(વિરતિ) રૂપ દોરડા વડે બાંધી ઇંદ્રિય વિષયોથી અટકીને જે આત્મ સ્વભાવમાં સ્થિર થઈ આત્મ રમણતા માંડે તેનો મનુષ્ય ભવ સફળ થાય.
રૂપને જોનાર કોણ-ચમા, આંખ કે આત્મા
ચશ્મા, આંખ બંને રૂપી છે. રૂપ ને રૂપી વસ્તુ જે પુદ્ગલ છે, જડ છે. તો શું રૂપમાં (જડમાં) જોવાની શકિત છે? તો મડદું પણ જડ-રૂપી છે. પણ તે જોઈ શકતો નથી તો જોનાર કોણ? ચશ્મા પાછળ આંખ અને આંખમાં આત્મા અંદર રહેલો છે. એકેન્દ્રિયથી તેઈન્દ્રિય જીવો તથા આંખ વિનાના પંચેન્દ્રિય જીવો પણ આંખ વિના રૂપને પ્રત્યક્ષ જોઈ શકતા નથી, સ્પર્શથી અનુભવ કદાચ કરે. આંખ વિનાના જીવોમાં પણ આત્મા છે છતાં તેઓ રૂપ-આકારને જોઈ શકતા નથી. તો જોનાર કોણ? આંખ વિનાના જે ત્રસ-પંચેન્દ્રિય જીવો છે તેમાં રૂપને જોવા-જાણવાઆત્મામાં જ્ઞાન ગુણ છે, છતાં જોવા આંખ-ઈન્દ્રિય સાધન જરૂરી અથવા પુણ્યના અભાવે અત્યંત નબળી હોય તો જોઈ ન શકે. જયારે જે આંખો વડે રૂપાદિને જુએ છે તો આત્માના પ્રદેશોમાં જે જ્ઞાન-દર્શન, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થયું હોય તે જ્ઞાન વડે આંખની સહાયથી જોઈ શકે અને કેવલી વગર આંખે કેવલજ્ઞાન વડે જ સીધું સર્વ વસ્તુને જાણી-જોઈ લે. આમ ચશ્મા કે આંખ એ બાહ્ય સાધન સહાયરૂપ છે. મૂળ જોનાર આત્મામાં પ્રગટેલું અરૂપી જ્ઞાન રૂપને જુએ અને તે જ જ્ઞાન-પૂર્ણપણે જયારે પ્રગટે ત્યારે કેવલજ્ઞાન રૂપી-અરૂપી સર્વને ઈન્દ્રિયાદિ કોઈ પણ સહાય વિના જોઈ શકે. ઈંદ્રિય-મનની સહાયથી જે જ્ઞાન
અજીવ તત્વ | 235