________________
શસ્ત્રાદિથી ખંડિત થઈ શકે નહીં. અગ્નિથી બળે નહીં, શસ્ત્રથી છેદાય કે ભેદાય તેમ નથી, તે શાશ્વત છે અને તે પ્રદેશો અરૂપી- રૂપ આકારથી રહિત, ગંધ, રસ, સ્પર્શથી રહિત તથા અગુરુલઘુ (નાના, મોટા કે લાંબા-ટૂંકા, હલકા, ભારે, ઊંચા, નીચાદિ સર્વ પર્યાયથી રહિત) તથા અવ્યાબાધ (સાતા કે અસાતા સર્વ પીડાથી રહિત. આત્મપ્રદેશોને કોઈ બીજા દ્રવ્ય, સંયોગો આદિ કોઈથી કોઈ પણ પ્રકારની પીડા થઈ શકે તેમ નથી. તેમ તે આત્મપ્રદેશોથી પણ કોઈને કોઈ પીડાય થાય તેમ નથી) છે. આવા પ્રકારની આત્માની આ સ્વરૂપ વર્તમાનમાં દશા છે જે અઘાતિ આયુષ્યાદિ ચાર કર્મોથી બીડાયેલી છે. તે ઘાતિ કર્મના સંપૂર્ણ નાશ થયા પછી જ અઘાતિનો આયુષ્ય કર્મનો નાશ થતાંની સાથે જ આત્માની શુદ્ધ સ્વરૂપ દશા પ્રગટશે. આથી વર્તમાનમાં ધ્યાન માટે અરૂપી દશાને જ્ઞાનમાં ધારણા કરીને તેનું ધ્યાન કરવાનું છે. જ્ઞાનની શુદ્ધિથી અરૂપી દશા રૂપ આત્માની પ્રતીતિ થશે. ચારિત્ર મોહના વિગમથી આત્માની સ્વભાવ દશાની અનુભૂતિ થશે. આત્માની અરૂપી દશા જો ધ્યાનમાં ન પકડે તો રૂપીની પકડ સહજ છે.
આકાર એ પુગલનો ધર્મ અને તેમાં વર્ણાદિ રહેલા છે:
આકાર માત્ર પદ્ગલનો છે. આકારમાં રૂપ સમાયેલું હોય છે. અરૂપી જીવને મોહના ઉદયે વિશેષથી-બાહ્યથી આકર્ષણ રૂપ અને આકારનું સહજ હોય છે. એમાં આત્માને આવતા વાર ન લાગે. આથી આત્માએ પુદ્ગલને ઓળખવા તેના ૧૦ પરિણામોનું જ્ઞાન જરૂરી. જો પરમાણુમાંગતિન હોયતો એકબીજા પરમાણુ એકબીજા સાથે બંધાય નહીં અને બંધાયેલા પાછા છૂટા પણ ન પડે. ભેદના કારણે પાછા છૂટા પડે અને વિવિધ સંસ્થાનરૂપે ગોઠવાઈ જાય. આત્મ સ્વભાવ અસ્થિરતાનું કારણ આ બધા પરિણામો અસ્થિર હોવાથી વિવિધ રૂપે પરિણામ પામે, આથી સંસ્થાન અનેક પ્રકારે થાય. આકારની ભિન્નતાથી, નામ ભેદ, રૂપની ભિન્નતાથી, નામની ભિન્નતાથી, બંધનની ભિન્નતાથી આમ અનેક પ્રકારની ભિન્નતાના કારણે આત્માના સ્વભાવમાં ભિન્નતા પડતા આત્મા સ્વભાવની સ્થિરતા ગુમાવે.
પરમાણુના સમૂહને વિવિધ આકારરૂપે (ડિઝાઈન રૂપે ગોઠવવું તે રંગોળી, ચિત્ર વગેરે. તેના દર્શનીય રૂપ-આકાર તૈયાર થાય પણ પવનનો ઝપાટો આવે તરત વિખરાઈ જાય, અદર્શનીય બને.
અજીવ તત્વ | 213