________________
આત્મામાં સિદ્ધ સ્વરૂપી શાશ્વત અવસ્થા અને સંયોગ રુ૫ સંસાર અવસ્થા અનાદિ કાળથી રહેલી છે. તેનો નિર્ણય સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે થઈ જાય તો ભવ્ય આત્મા પોતાનો પરમ પુરુષાર્થ પોતાની સત્તામાં રહેલ સિદ્ધત્વને પ્રગટાવવા કરે. અભવ્ય આત્માને પોતાનામાં રહેલી સિદ્ધ અવસ્થાની રુચિ ન થાય તેનું કારણ છે તેનામાં રહેલું ગાઢ મિથ્યાત્વ. પોતાના પુરુષાર્થ દ્વારા આત્મા સૌ પ્રથમ સમ્યક્ત રુપે પ્રથમ મોક્ષને પ્રગટ કરી શકે. અભવ્ય આત્મા કદી પણ આ અવસ્થાને પ્રગટ નહીં કરી શકે. આપણે ભવ્ય છીએ એટલે આપણામાં યોગ્યતા પડેલી છે એટલે પુરુષાર્થ કરીને તે ગુણ ૫ સ્વભાવને પ્રાપ્ત કરવાનો છે. ચારે ગતિમાં સમ્યત્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે પણ પૂર્ણતા તો મનુષ્ય ભવમાં જ થાય. ક્ષાયિક સમકિતની પ્રાપ્તિની શરુઆત પ્રથમ સંઘયણ મળે ને મનુષ્ય ભવમાં માંડે તો આયુષ્ય પૂર્ણ થઈ જાય તો દેવલોકમાં જઈને પૂર્ણ કરી શકે છે, પણ શરુઆત તો મનુષ્ય ભવમાં જ થાય. મોક્ષમાં આત્મ પ્રદેશોની સદા સ્થિરતા છે. જે ગુણ પ્રગટયા તેમાં સદા રમણતા, પણ વધ ઘટ ન થાય. મોહના પરિણામથી આત્મા અસ્થિર બને છે. મોક્ષમાં મોહનો ને યોગનો સંપૂર્ણ અભાવ છે એટલે સ્વભાવ ને સ્વરૂપમાં રમણતા અને સ્થિરતા મોક્ષમાં છે. પ્રથમ આત્માએ સ્વભાવની પૂર્ણતા કરવાની છે. પછી સ્વરૂપ સ્થિરતા આત્માને ૧૪માં ગુણ સ્થાનકે થશે. જયાં સુધી પરનો સંગ છે ત્યાં સુધી આત્મા અસ્થિર છે, ત્યાં સુધી કર્મનો બંધ થાય છે જે આત્માનો સ્વભાવ નથી છતાં પણ પુદ્ગલ સાથે આત્માનો સંબંધ છે ત્યાં સુધી બંધ પણ થાય છે. બંધ એ પુદગલનો સ્વભાવ છે, આત્માનો નહીં. અન્ય દ્રવ્યના સંબંધમાં આત્મા આવે એનો પ્રભાવ આત્મા પર પડે એના કારણે આત્મા પોતાના સ્વભાવ ને સ્વરુપમાં સ્થિરતા ન પામે ત્યાં સુધી એ સંસારી કહેવાય માટે કેવલીને પણ વ્યવહારથી સંસારી કહેવાય.
અશુદ્ધ આત્મા સતત પરપુગલ સંગનો ઈચ્છુક છે. ત્યાં સુધી પરથી સ્વને પીડા છે. જયારે નિઃસંગ દશા, નિરાકાર દશા, નિર્વિકાર દશાને પામે અર્થાત્ પરસંગના પરિણામથી છૂટે ત્યારે આત્મા સ્વ પરિણામને વેદ. મોહના પરિણામે વેદના ભોગવે ને એમને છોડે ત્યારે સુખને વેદ. પરના સંગમાં રહેવાની ઈચ્છા મોહના પરિણામથી થાય છે. પરમાં એ નિરસ બનશે ત્યારે સ્વના રસનો ભોગી બનશે. જયાં સુધી ભોગાવલી કર્મો હોય ત્યાં સુધી મળેલું રાજ પણ છોડવાનું મન ન થાય અને અપૂર્વ કર્મ લઘુતા વિના પૂર્ણતાનો ભાવ ન આવે માટે બાહુબલિએ નિર્ણય
અજીવ તત્વ | 203