________________
આત્મા છું એનું અસ્તિત્વ સતત આત્મામાં દઢ રહેવું જોઈએ. તે માટે પુદ્ગલ અને આત્માના સ્વભાવનું ભેદજ્ઞાન કરવું ઘટે. તે થાય પછી જે હય, જે અહિતકારક છે. એવા પુદ્ગલ દ્રવ્યનો જરૂર પૂરતો ઉપયોગ કરવો અને આત્માના જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ કરવી જોઈએ અર્થાત્ આત્મવીર્યને પરમાંથી ખસેડી “સ્વ'માં સ્થાપન કરવું. ૨. અપાય વિચય:
___ रागद्वेषकषायादि पीडितानां जनुष्मताम् ऐहिकामुष्मिकाँस्ताँस्तान् नानाऽपायान् विचिन्तयेत् ॥३७॥
(૧૬-અધ્યાત્મસાર) રાગ-દ્વેષ કષાય (મોહ) વશ પીડા પામેલા જીવોના ઐહિક આલોક સંબંધી ઈષ્ટ સંયોગ અને પરલોક સંબંધી વિવિધ દુઃખોને જીવ કઈ રીતે પામે છે તેની વિચારણા કરવી તે અપાય વિચય છે.
અપાય એટલે અનર્થ જેનાથી આત્માનું અહિત થાય છે. અર્થાત્ આત્માનું અહિત કોના વડે થાય? અને કઈ રીતે થાય તે સંબંધી વિચારણા કરવી. આત્માનું અહિત બે રીતે થાય પરના (પુદ્ગલ-કર્મ-કાયા)ના સંયોગથી અને મોહની આધીનતા (ષાય)થી થાય. સિદ્ધમાં આત્મા આ બે સંયોગથી સર્વથા સદા માટે મુક્ત છે. આથી ત્યાં કોઈ આત્માને અનર્થ નથી તેથી તેને શિવ (રોગ-ઉપદ્રવ પીડાથી રહિત) કહેવાય. સિદ્ધમાં આત્મા પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. કારણ મોહ કર્મ નથી. જ્યાં સુધી મોહને આધીન આત્મા ત્યાં સુધી પોતાના સ્વભાવ પ્રમાણે વર્તી શકે નહીં. મોહની બે અવસ્થા તેમાં મુખ્ય દર્શન મોહ. આત્માની દષ્ટિ જ્ઞાન-સમજણ વિપર્યાસ કરી આત્માની સમજણ ઊંઘી કરે. આત્માને જ્યાં પીડા મળે ત્યાં સુખ બુદ્ધિ ઊભી કરે. અનુકૂળ પુદ્ગલ સંયોગમાં સુખ બુદ્ધિ ઊભી કરે. આથી આત્મા સુખની લાલચે અનુકૂળ સંયોગના મનોરથોવાળો-પ્રયત્નવાળો થઈ આર્તધ્યાનને વશ થઈ માનસિક પીડા ભોગવે અને પુન્યના ઉદયે અનુકૂળતા મળી જાય તો તેમાં બીજા ચારિત્રમોહના ઉદયમાં પુદ્ગલ સંયોગમાં સુખ ભોગવી (અનુભવી) રહ્યાનો અભ્યાસ કરાવે તેથી જીવતેમાં પોતાને સુખ પ્રાપ્તિની અનુભૂતિ થઈ રહ્યાનો આનંદ સમજી તેની અનુમોદના દ્વારા આત્માને ભાવિમાં વિશેષ અનર્થ પ્રાપ્ત થાય તેવા કર્મનો બંધ કરે.
194 | નવ તત્ત્વ