________________
અજીવ તત્વના ૧૪ ભેદો
ગાથા-૮ ધમાકધમ્મા-ગાસા તિય તિય ભેયા તહેવ અધ્ધા યા
ખંધા દેસાએસા, પરમાણુ અજીવ ચઉદસહાll૮. અર્થ: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાય દરેકના સ્કંધ, દેશ,
પ્રદેશ સ્વરૂપ ત્રણ-ત્રણ (નવ ભેદ) ભેદ, તથા કાળ (એક ભેદ) તેમજ પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ (ચાર ભેદ) એમ કુલ ૧૪ ભેદ અજીવ તત્ત્વના છે.
અજીવ તત્વનો સ્વભાવ
ગાથા-૯ ધમા ધમ્મા પુગલ, નહકાલો પંચ કુંતિ અજીવા
ચલણ-સદાવો ધમો, થિરસંડાણો અહમ્મો યાલા અર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય તથા
કાળ આ પાંચ અજીવ છે. જીવ અને પુદ્ગલને ચાલવામાં સહાયક ધર્માસ્તિકાય છે તથા સ્થિર રહેવામાં સહાયક અધર્માસ્તિકાય છે.
4 | નવ તત્ત્વ