________________
આત્માને તેના જ્ઞાનાદિગુણની પૂર્ણતાથી વાસિત કરવો, આત્મામાં રમણતા કરવી તે આવશ્યક છે અને તે આવશ્યક માટે જજિનાજ્ઞા છે. જિનાજ્ઞા અને આવશ્યક ભિન્ન નથી. જિનની સર્વ આશા જીવની પૂર્ણતા પ્રગટાવવા માટે જ છે. જિનાજ્ઞા શું:
પરમાત્માની આજ્ઞા બે રૂપે - વ્યવહાર અને નિશ્ચય, વિધાન અને નિષેધ. મન્નર નિબળાઇમi = તું જિનની આજ્ઞા માન - સ્વીકાર. વ્યવહારથી આજ્ઞા - પરમતત્ત્વરૂપ જીવાદિ નવ તત્ત્વનો પરિચય કરી તારા આત્માને તું સ્વીકાર કર. કારણ અનાદિથી શરીરને આત્મા તરીકે સ્વીકાર કરેલો છે એનો હવે ત્યાગ કર, અર્થાત્ હું શરીર નથી પણ શરીરમાં પૂરાયેલો સિદ્ધસ્વરૂપી આત્મા છું. તેનો સ્વીકાર કર અર્થાત્ ખોટી માન્યતા રૂપ મિથ્યાત્વનો ત્યાગ કરી સર્વજ્ઞ કથિત માન્યતા રૂપ સમકિતનો સ્વીકાર કર.
નિશ્ચયથી આજ્ઞા – આ=આત્મા, જ્ઞા=જ્ઞાતા, (ગા=સમક્તાત્ ા જ્ઞાયતે તાનિ ના સા) જિનાજ્ઞા = જિન = રાગદ્વેષને છોડીને આત્માએ પરિપૂર્ણ સર્વ શેયના તત્ત્વરૂપે જ્ઞાતા થવું તે આજ્ઞા અર્થાત્ આત્માનો તે જ સ્વભાવ છે. સર્વજોયને પરિપૂર્ણ (દ્રવ્ય-ગુણ -પર્યાયથી) રૂપે જાણવું અને આત્માના પૂર્ણ આનંદને ભોગવવું અર્થાત્ આત્મા શેયનો જ્ઞાતા અને આનંદનો ભોકતા છે.
જ્ઞાનાનંદે પૂરણપાવનો વર્જિત સકલ ઉપાધિ. વિધાન - આત્માએ સ્વગુણોમાં રમણતા કરવી તે આવશ્યક રૂપ વિધાન છે.
નિષેધ - સ્વભાવની વિરુદ્ધ ન કરવા રૂપ જે પાપ પ્રવૃત્તિ તેનો નિષેધ. તે જ અનાવશ્યક
જિનેશ્વર પરમાત્માની બધી આજ્ઞાઓ વિધાન અને નિષેધમાં સમાઈ જાય. આત્માસત્તાએ આવશ્યકરૂપ છે છતાં અનાદિથી જિનાજ્ઞાની વિરુદ્ધ કરતો આવ્યો છે. તેથી પ્રથમ નિષેધ પછી વિધાન “સિદ્ધvi , શિવાળમરને ઉમ” આથી પ્રતિક્રમણ આવશ્યકમાં જિને જે નિષેધ કર્યું તેનું આચરણ કર્યું - અને જિનની આજ્ઞાનાવિધાનરૂપ જે ન કર્યું તેના પ્રતિક્રમણ રૂપે આવશ્યક આવ્યું. આથી જીવે નિષેધરૂપે વિભાવરૂપે ન વર્તવું અને જિનાજ્ઞા વિધાનરૂપે આત્માના સ્વભાવરૂપે વર્તવું. 190 | નવ તત્ત્વ