________________
શું આપણને સ્વમાં રહેવાનો રસ જાગ્યો છે? બધું જાણીને હજી પરમાં જ વસવાનો રસ હોય તો જાણેલ ફકત જાણકારી જ છે, જ્ઞાન હજુ પરિણામ પામેલું નથી તેથી
જીવ કર્મ સત્તાની ચુંગાલમાં ફસાઈ જાય. હવે કર્મકાળને ભેદી સ્વાત્માના ગુણોમાં રમવાનો પ્રયત્ન કરવાનો છે તે માટે ભેદ જ્ઞાન જરૂરી. • આભાર્થી માટે મોક્ષમાર્ગ સરળ:
આત્માર્થી દરેક અનુષ્ઠાનમાં લક્ષબિંદુ સ્વાત્માને કેન્દ્રમાં રાખી અનુષ્ઠાન કરે પણ પર માટે નહીં, અને સ્વાત્મામાં રસ જાગશે તો તેને સ્વાત્મામાં બહુમાન પ્રગટ થશે, તેથી સ્વ શ્લાઘા નહીં કરે. પરની કુથલી, પરકથા સાંભળવામાં તે નિરસ બનશે, તેથી ખોટા માણસોનો સંગ છૂટશે અને કલ્યાણમિત્રો સાથે જ સંબંધ બંધાશે. માટે તેનો મોક્ષ માર્ગ સરળ બનશે.
સાધુ જીવનમાં ભણવાનો કે ભણાવવાનો રસ કયાંક ઘણો જોવા મળે પણ જ્ઞાન આત્મામાં પરિણમાવવાનો લક્ષ કેટલો? જો જ્ઞાનને આત્મામાં પરિણમાવવાના લક્ષપૂર્વક જાણે કે જણાવે તો જ્ઞાનની નિર્મળતાથી ચિત્ત સમાધિ અને સમતા. સ્વભાવની શુદ્ધિ-વૃદ્ધિ થયા કરે, મોહની આધીનતા હટયા કરે.
સર્વાની આજ્ઞાયોગની જરૂર શા માટે ?
છદ્મસ્થ જીવો સર્વજ્ઞ પ્રભુની પૂર્ણ આશા પ્રમાણે વર્તતા નથી તેથી તેને પૂર્ણ સ્વભાવમાં લાવવા માટે આજ્ઞાયોગ છે. સહજ ભાવે આજ્ઞાયોગમાં પ્રર્વતવું જોઈએ કારણ એ જ આત્માનું હિત છે. વીર પરમાત્માએ જગતના જીવોના હિત માટે જ પ્રવચન રૂપ તીર્થ પ્રર્વતાવ્યું છે.
आचारशास्त्रं सुविनिश्चितं यथा जगादवीरो जगते हिताय. આચારાંગ શાસ્ત્રના આરંભમાં જ ટીકાકાર મહર્ષિ શ્રીશીલાંકાચાર્ય ફરમાવે છે કે વીર પરમાત્માએ જગતના હિત માટે આચાર શાસ્ત્રની સૌ પ્રથમ પ્રરૂપણા કરી. જગતના જીવોમાં જે ભવ્ય જીવોને વર્તમાનમાં આત્મહિતને સાધી લેવાની યોગ્યતા પ્રગટી છે એવા આસન્ન ભવ્ય જીવોને ઉદ્દેશીને પ્રભુ તીર્થ પ્રર્વતાવે છે અર્થાત્ પ્રવચન ફરમાવે છે.
તીર્થ કેવું છેઃ ‘તિજ્ઞાણ, તારયાણં' “તરે તે તીર્થ, તીર્થ સદા તરવાના સ્વભાવવાળું હોય. ‘તારે તે તીર્થ- જે તરવાને યોગ્ય હોય અને તરવાની રુચિ અને તરવાનો 188 નવ તત્ત્વ