________________
सव्वाइं जिणेसर भासियाई वयणाई नन्नहा हुंति। इअ बुद्धि जस्स मणे, सम्मत्तं निच्चलं तस्स ॥५२॥.
(નવતત્ત્વ) સર્વજિનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે સત્ય છે. આવી મતિ જેની પણ છે તેમાં અવશ્ય સમ્યક્ત છે. આત્માનો પ્રથમ સ્વભાવ પણ સમ્યગ્ગદર્શન છે, સમ્યગ્ગદર્શન વિના જ્ઞાન શુદ્ધ થતું નથી. सम्यग्दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोति ॥१॥
(તસ્વાર્થ સૂત્ર કારિકા) સમ્યગ્રદર્શનથી શુદ્ધ થયેલું જ્ઞાન જ વિરતિનું કારણ બને અર્થાત્ આવું શુદ્ધ જ્ઞાન આત્માને વિભાવમાંથી અટકાવી પોતાની સ્વભાવ દશાનું ભાન કરાવી સ્વભાવ દશામાં સ્થિર કરવા પ્રેરે છે. સમ્યગ્રદર્શનના પરિણામને આત્મા જયારે અનુભવતો હોય ત્યારે તે મોક્ષમાર્ગમાં આવ્યો કહેવાય. सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ॥१॥
(તસ્વાર્થ સૂત્ર) સમકિતનો પ્રથમ પાયો આસ્તિકય છે. આત્માને પોતાના અસ્તિત્વનું ભાન હોવું જોઈએ કે હું શરીર-રૂપથી રહિત પણ શરીરમાં પૂરાયેલો આત્મા છું પણ હું (જીવ) એ શરીર નથી. માત્ર શરીર તરીકે ઉપયોગ થવો તે મિથ્યાત્વનો પરિણામ છે. જીવ જે શરીરાદિ-પર સંયોગ સાથે રહેલો છે તેનાથી છૂટવાનો (ભેદ કરવાનો) ભાવ આવે તો તે વૈરાગી. જેટલો બીજાથી ભેદ તેટલો પોતાથી અભેદ આ નિયમ છે અને તેથી તેટલા અંશે પોતાને પોતાની અનુભૂતિ થશે અર્થાત્ કાયા પ્રત્યેનો વૈરાગ્ય વધવાથી એટલે કાયા પ્રત્યેની મમતા ઘટવાથી કાયામાં રહેવા છતાં કાયાથી ભેદ પરિણામે રહેવાથી આત્મા સાથે આત્માનો અભેદ થાય અને તેટલો આત્માને આત્માના ગુણોનો અનુભવ થાય.
સમ્યગ્દર્શન એટલે વ્યવહારથી જિનેશ્વર પરમાત્માએ જે કહેલું છે તે જ સત્ય છે, શંકા વગરનું છે. આવા પ્રકારની શ્રદ્ધા આવ્યા વિના નિશ્ચયથી રુચિરૂપ ભાવ સમ્યગ્રદર્શન ન આવે. જીવમાં જીવપણાની અને અજીવમાં અજીવપણાની 2 નવ તત્ત્વ