________________
આવશ્યક એટલે શું?
અવશ્ય કરવા યોગ્ય કર્તવ્ય, અને કર્તવ્ય શું? સ્વભાવમાં આવી જવું તે જ પરમ કર્તવ્ય. આવશ્યકના આચરણ દ્વારા આત્મા સરળતાથી સ્વભાવમાં આવી જાય છે. કેવલીઓને વ્યવહાર આવશ્યક નથી. સંસાર છદ્મસ્થ જીવો માટે ૬ એ આવશ્યક આવ્યા ને પરમાત્માની બધી જ આજ્ઞા એમાં સમાઈ ગઈ. પ્રધાન આજ્ઞા ઉભયક પ્રતિક્રમણ, પણ તે ગમતું નથી. સૂત્ર તત્ત્વથી ભરેલા છે. અજીવમય બનેલા જીવને જીવમય બનાવવાની પ્રક્રિયા છે. બીડાયેલી ચેતનાને જાગૃત કરવા માટે આ સૂત્રો છે. ૬ આવશ્યક એટલે ધ્યાનની પરાકાષ્ટા. સાધુ અને શ્રાવકની તમામ ક્રિયાઓ ધ્યાનરૂપ જ છે. દેહભાવથી અભેદનો ભેદ પાડવાની ક્રિયા છે. સંયોગથી જે ભ્રમ થઈ ગયો છે એના જ ભેદ માટે આવશ્યક કરવાના છે. • કથારે ભાવ ભાવવાના?
ગુરુભગવંતોને વહોરાવવાનો ભાવ ફુટ સમારતી વખતે ન હોવો જોઈએ, એ સમયે તો એ વિચારવાનું છે કે કેવો પાપોદય કે રજોહરણને બદલે હાથમાં ચપ્પછે. રજોહરણ હાથમાં હોત તો આ પાપ કરવાનો વારો આવતા નહીં. રસોઈ પૂર્ણ બની ગયા પછી શ્રાવક શ્રાવિકા વિચાર કરે કે આટલા આરંભ-સમારંભ કરીને આ વસ્તુ બની ગઈ છે હવે એ વસ્તુ કોઈ સુપાત્રના પાત્રામાં જાય અને તેના દ્વારા તેઓ જ્ઞાનધ્યાન કરે, તેનાથી મારું આ પાપ જલદી ધોવાઈ જાય અને તે ભાવથી વહોરાવવા માટે ગુરુ ભગવંતોને ઉપાશ્રયે તેડવા જવાનું છે. વહોરાવતી વખતે રત્નત્રયીનું પાત્ર કીંમતી લાગે જેમ અનુપમાદેવીએ ઘી થી ખરડાયેલ પાત્રને હાથમાં લઈને જરીયાના સાડીથી લૂછી લીધું. એને સાડી કરતાં રત્નત્રયી કિંમતી લાગી, અને ક્યારે પાત્રુ મારા હાથમાં આવે તેવો ભાવ આવતા જોરદાર અનુબંધ પડી ગયો. માટે જ આજે તેઓ મહાવિદેહક્ષેત્રમાં કેવલી તરીકે વિચારે છે. આ ભવમાં ઉદયમાં ન આવી શકે તો આવતા ભવમાં જલદીથી ઉદયમાં આવે જ અને આપણું જીવન સફળ બની જાય, કાર્ય સાધી લેવાય. વહોરાવતાં વહોરાવતાં મહાનિર્જરા કરે અને જો એવી સમજ ન હોય તો મહાકર્મબંધ પણ થઈ જાય.
જીવો અને જીવવા દો” અબ હમ અમર ભરોગે નહીં મરેંગે યા કારણ મિથ્યાત્વ યિો ત્યજ, અબ હમ નહીં દેહ વગે. 166 | નવ તત્ત્વ