________________
=સમ્યત્વ, તત્ત્વની અનુભૂતિ = ચારિત્ર, સ્વતત્ત્વની પૂર્ણતા અર્થાત્ સ્વગુણોની = વીતરાગતા-સર્વજ્ઞતા = અનંતવીર્યતાં આ ગુણો ચારેય ઘાતિ કર્મના ક્ષયથી પ્રગટ થાય. ધ્યાતા તત્વ અનંત અનંત જ્ઞાન-અનંતદર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય..
અનાદિથી અજીવથી અભેદ પરિણામને પામેલા જીવને જયારે અજીવ રૂપ શરીરથી હું જુદો છું એવું ભાન આવે અને હવે મારે તેની સાથે ભેદ કરવાનો છે, અને તે માટે જ જે સતત પ્રયત્ન કરે તે યોગીજન કહેવાય. આથી ભેદ સ્વભાવ એ પુદ્ગલનો છે, મારો નથી આવો નિર્ણય જરૂરી. આથી પુદ્ગલના ભેદને જાણવું જોઈએ. મેલા [: (૧-ર૬) સંથાત મેગ્ય: સત્પન્તો (૧-ર૦)
(તત્ત્વાર્થસૂત્ર) • સંયોગ-વિયોગનું કારણ શું? પુદગલાના ભેદ શા માટે જાણવા જરૂરી? :
પરમાણુઓ પરસ્પર ભેગા થઈ જોડાવારૂપ બંધનો સ્કંધ બને અને તે સ્કંધના ભેદથી અણુની ઉત્પત્તિ થાય. પુદ્ગલોનું જોડાવું તે સંયોગ અને તેના છૂટા થવુંભેદાવું તે વિયોગ. છેલ્લામાં છેલ્લો અણુ જોડાયેલો હોય ત્યાંથી તે છૂટો પડી જાય ને સ્વતંત્ર થઈ જાય. સંયોગ-વિયોગ રૂપ જે ઘટના બની તે પુદ્ગલનો પરિણામ છે. સતત એમાં ભેદ થવાનું કાર્ય ચાલુ છે. આપણને આ ઉપયોગ ન આવે તો સમતાનો પરિણામ ભેદાઈ જાય.
પુદ્ગલ દ્રવ્ય પરિણામી હોવાથી પરમાણુ પણ ગતિ કરતા હોય છે તેથી એકબીજા સાથે જોડાય-સ્કંધરૂપે બંધાય. તે સંખ્યાત કે અસંખ્યાત કાળ સુધી તે પ્રમાણે રહે. તેમાં સતત પરિવર્તનતા આવતી જાય. સ્કંધ-સૂક્ષ્મપણાને પામે, બાદરપણાને પણ પામે. જીવ તેના સંયોગવાળો થાય એટલે જીવને પણ બાદર કે સૂક્ષ્મ કહેવામાં આવે. પણ વાસ્તવમાં જીવ સૂક્ષ્મ કે બાદર નથી, રૂપી નથી, વર્ણ ગંધાદિ રૂપે પણ નથી છતાં પુગલના સંયોગે જીવને પણ રૂપાદિ કહેવામાં આવે છે. ગતિના કારણે બંધ અને ભેદ અર્થાત્ બંધાવું, ભેદાવું, છેદાવું, કપાવું, બળાવું વગેરે પુદ્ગલમાં થાય છે. આત્મા તો અભેદ્ય, અછેદ્ય, અદાહ્ય છે તેમ છતાં જીવને પોતાના સ્વરૂપ – સ્વભાવનું ભાન ન હોવાથી અને પુદ્ગલના સંયોગથી થયેલી
અજીવ તત્ત્વ 161