________________
• ધ્યાન શેનું કરવાનું? :
જેમાં હેયરૂપે જેને છોડાવાની રુચિ કરી તેને છોડવામાં આત્મવીર્યનું પરિણમન અને આત્મા માટે જે ઉપાદેય તેમાં રુચિ પૂર્વક આત્મવીર્યનું જોડાણ અર્થાત્ આત્મ ગુણોમાં વીર્યનું જોડાણ કરવાની જે દિયા તે ધ્યાન....
“આત્મરુચિ આત્માલયીરે, ધ્યાતા તત્વ અનંત સ્યાદવાદ જ્ઞાની મુનિર, dવ રમણ ઉપશાંત. શુદ્ધસિદ્ધનિજ તત્વતારે, પૂર્ણાનન્દ સમાજ, દેવચંદ્રપદસાધતાં રે, નમિયે તે મુનિરાજરે"
(પૂ. દેવચંદ્ર મ.સા.) જે મુનિરાજ આત્મતત્વ (સ્વભાવ)ની રુચિકરી પોતાના સિદ્ધ સ્વરૂપી શુદ્ધ આત્માનું ધ્યાન કરે અને તે સિવાય સર્વ પુદ્ગલભાવોનું સમજણપૂર્વક ત્યાગ કરી મોહથી ઉપશાંત થાય તો તે આત્માના પરમાનંદને અનુભવે છે અને તેવા મુનિરાજ વંદનીય છે.
શુદ્ધ આત્માનું ધ્યાન કરવાથી વર્તમાનમાં આત્મા જે દારિક (વેક્રિય, તેજસ, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનાદિ) સૂક્ષ્મ-બાદર વર્ગણાના પિંડરૂપે બનેલો છે. જે વર્ગણાઓ આત્મ સાથે સ્કંધરૂપે બંધાય અને પછી ભેદરૂપે છૂટી પણ પડે તો તે સંબંધી ભેદજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સ્વાત્મામાં સ્થિરતા, પરમાં ઉદાસીનતા ભાવ ન આવે તેનું ભેદ કરવા પુદ્ગલના પરિણામો જાણવા જરૂરી.
સૂક્ષ્મ પરિણામી પરમાણુ કે તેના સમુહરૂપે બનેલો સ્કંધ ક્યારેય ઈન્દ્રિયનો વિષય ન બને! પરમાણુ – સ્કંધ રૂપી હોવા છતાં ઈન્દ્રિયનો વિષય ન બને! શુધ્ધ આત્મા તો સંપૂર્ણ અરૂપી છે તેથી તો ઈન્દ્રિયોનો કે અવધિ આદિ જ્ઞાન વડે પણ છદ્મસ્થાનો વિષય ન જ બને. • યુગલ પરિણામોની વિચિત્રતા :
દરેક પરમાણુ સજાતીય છે, કોઈ વિજાતીય નથી. જે પૃથ્વી (પરમાણુ) છે તે જ જલપરમાણુ બને છે. જે બાદર પરિણામી છે તે જ સૂક્ષ્મ પરિણામ બને છે. દા.ત. સાકરનો ગાંગડો પાણીમાં ઓગળી ગયા પછી ચક્ષુગ્રાહ્ય બની શકતો નથી. વાદળ સૂક્ષ્મ પરિણામી બને છે. આકાશમાં ફેલાય દિશા રોકે અને તે પાછો બાદર પરિણામી પણ થઈ જાય.
અજીવ તત્ત્વ 159