________________
પુણ્યાનુબંધી પુણ્ય બંધાય કયારે? :
મોક્ષના લક્ષ કે ગુણના બહુમાન પૂર્વક નિરાશંસ ભાવે કરાતી શુભ ક્રિયાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાઈ જાય.
આત્મામાં સિદ્ધત્વ અનાદિકાળથી પડેલું જ છે પણ કર્મોના આવરણને કારણે ભ્રાન્તિ થઈ છે માટે સ્વભાવ પ્રમાણે આત્મા વર્તતો નથી માટે એ એનો ગુનો છે ને જે આત્મા એને ગુનો માને છે તે હવે ગુનેગાર રહેવા તૈયાર નથી માટે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પોતાની જાતને જગતમાં સૌથી મોટા ગુન્હેગાર તરીકે ગણાવી પરમાત્માને પ્રાર્થના કરે છે કે આપ મારા પર હવે કરુણા કરો મારાથી કરુણાપાત્ર બીજો કોઈ નથી. આત્માને ગુનેગાર તરીકે જો સ્વીકારી લેશો તો જ મળેલું જિનકૂળ સફળ થઈ શકશે. કર્મસત્તાએ એવા કોમ્યુટર ગોઠવ્યા છે કે એક ભાવનો અંશ પણ એમાંથી છટકી શકે એમ નથી, જગતના કોમ્યુટર તો મર્યાદિત છે.
આત્મા ને પુદ્ગલ બંનેના ૧૦-૧૦ પરિણામ છે પણ આત્માના પરિણામને જાણીને તે રૂપે પરિણામ પામી જવાનું છે જ્યારે પુદ્ગલના પરિણામને માત્ર જાણવાના છે પણ પુદ્ગલના પરિણામ પ્રમાણે પરિણમન કરવાનું નથી. કાયામાં છીએ ત્યાં સુધી આત્મા ઊર્ધ્વગતિ નથી કરી શકતો. આત્મા અને પરમાણુ બંને લોકાંતે જઈને અટકી જાય કારણ ત્યાં ગતિમાં સહાયક ધર્માસ્તિકાય નથી. બે જણ ટકરાય એટલે ગતિમાં સ્કૂલના આવે તેમ પરમાણુ પણ બીજા પરમાણું સાથે ટકરાય એટલે ગતિમાં સ્કૂલના પામે છે. તે જ રીતે આત્મા પણ પુદ્ગલ સાથે ટકરાય છે માટે એની ગતિમાં પણ સ્કૂલના થાય છે. બીજા સાથે આપણે ટકરાયા એટલે ઊર્ધ્વગતિનું લક્ષ ન હોવાથી તે આગળ ન જતા ગુણસ્થાનકેથી નીચે પડીએ છીએ.
પરમાણુ વધારે સમય સ્વતંત્ર રહી શકતો નથી અને બીજા સાથે જોડાઈ જ જાય છે. તે માટે માત્રા અને ગુણ બંનેની વિષમતા જોઈએ. પરમાણુમાં ઓછામાં ઓછા બે સ્પર્શ હોય અને સ્કંધમાં ૮ સ્પર્શ હોય. ૧ સ્નિગ્ધ સાથે ૧ સ્નિગ્ધ નહીં બંધાય પણ ૧ સ્નિગ્ધની સાથે ૩ સ્નિગ્ધ હોય તો બંધાય કારણ વિષમ માત્રા ભેગી થાય તો તે બંધાય છે. માટે વિજાતીયમાં વિશેષથી રાગ બંધાય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ હું નથી, હું એનાથી રહિત છું એવું આત્મા માત્ર જ્ઞાનથી જાણે તો તે સ્વભાવની એમાં રુચિ થાય. વિભાવમાં આવ્યા તો બંધ થાય છે અને બંધાવામાં મોટામાં મોટું કારણ ૪ (વર્ણાદિ) કર્મોની સાથે કર્મો બંધાય છે. આત્મા નિર્લેપ દ્રવ્ય
અજીવ તત્ત્વ | 133