________________
જે આત્માના સ્વભાવને સમજીને ક્રિયા કરે તેને જ અધ્યાત્મની પ્રાપ્તિ થાય, નહીં તો ધર્મક્રિયા કરીને પણ ચાર ગતિમાં ભટકવાનું થાય. જેમ બાહુબલિને એક વર્ષ કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા તો પણ કેવલજ્ઞાન ન થયું પણ ઋષભ પ્રભુના કહેવાથી બ્રાન્ડી-સુંદરી બહેન સાધ્વીઓ દ્વારા “ગજ થકી વીરા દેડા ઉતરો તે સાંભળતાં પોતે માન કષાયને આધીન બનીને કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભા છે તે ખ્યાલ આવતા માન કષાયને તોડવા જેવા પગ ઉપાડયા કે તરત કેવલજ્ઞાન પ્રગટયું. જે ગુણિમાં કેવલજ્ઞાન ન થયું તે ચાલતા થયું અર્થાત્ ચાલવાનો વ્યવહાર શુદ્ધ હોય, પ્રયોજન વિનાનો ન હોય, અને જીવદયાના વિશુદ્ધ પરિણામ પૂર્વક નો હોય તો ચાલતા પણ નિર્જરા-કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. ઉપયોગની શુદ્ધિથી વ્યવહાર શુદ્ધ થાય.
સ્વભાવનો ઉપયોગ ન હોય તો તેને ચાર ગતિમાં ભટકવાનું આવશે તેમાં પણ સૌથી વધારે તિર્યંચગતિમાં ભટકવાનું આવશે. મનુષ્યભવમાં આત્મા સર્વથા પ્રમાદને દૂર કરી શકે છે. તિર્યંચો ખૂબ અલ્પ પ્રમાદને દૂર કરી શકે છે. તિર્યંચો અનશન કરી શકે, ચારે આહારનો ત્યાગ કરી અપૂર્વ પુરુષાર્થ ફોરવે છે છતાં એને ૬ઠું ગુણ સ્થાનક સ્પર્શતું નથી. ગૌતમ સ્વામી પ્રમાદી ન હતા છતાં પણ પરમાત્માએ એમને વારંવાર સમય ગોયમ મા પમાયએ કહ્યું. કેવલીને ઉદ્દેશીને દેશના અપાય જ નહીં કારણ તેઓ પૂર્ણ ધર્મમય બની ચૂક્યા છે. જે ધર્મમય પૂર્ણ બન્યા નથી તેમને ઉદ્દેશીને દેશના અપાય છે અને ગૌતમ સ્વામી ઉત્તમમાં ઉત્તમ યોગ્ય પાત્ર હતા અને સર્વજ્ઞ બનવાની અપૂર્વ ઝંખના હતી પણ એમને પ્રભુ પ્રત્યે રાગ હતો એટલે એ પ્રમાદ હતો માટે એમને ઉદ્દેશીને પ્રભુએ કહ્યું. ગૌતમ સ્વામીનું અભિમાન એમને સમર્પિત શિષ્ય બનાવનારું થયું. વિલાપ એ વીતરાગતાનું કારણ બન્યું ને રાગ એ આજ્ઞા પાલન માટે થયો. જેથી અંતિમ ઘડીએ પ્રભુના આદેશથી દેવશર્માને પ્રતિબોધ માટે ગયા એ આજ્ઞાની આરાધના કેવલજ્ઞાનનું કારણ બની.
જેનો સામાયિક ભાવ ખંડિત નથી તેને પ્રતિક્રમણ નથી. કેવલીભગવંતોનો સામાયિક ભાવ અખંડિત છે માટે પ્રતિક્રમણ નથી કરતા. આપણો ભાવ શું હોય? સ્વભાવમય બનવું એ આપણો ભાવ સતત રહેવો જોઈએ. ૪થા ગુણઠાણે ભાવધર્મ જ હોય. ૪થે સમ્યગ્દર્શનના કારણે એ સ્વભાવની રુચિ અને હવે એને જ્ઞાનાદિ ગુણની પૂર્ણતાનો ભાવ છે માટે ભાવધર્મ એ ધર્મની બીજ અવસ્થા છે જે આગળ
અજીવ તત્વ | 123