________________
મોક્ષ માર્ગની આરાધનામાં શું જરૂરી
પરિણામ, ઉપયોગ, ભાવના અને અધ્યવસાય વચ્ચેની શુક્ષ્મ ભેદરેખાની સમજૂતી આરાધના માટે અત્યંત મહત્વની છે. ૧) પરિણામ: જે સ્વભાવને છોડ્યા વિના જુદી જુદી અવસ્થાને પામે તે પરિણામ
કહેવાય. દ્રવ્ય ન બદલાય અવસ્થામાં રૂપાંતર થાય. જેમકે સોનાની લગડીને પ્રવાહી બનાવી તેને જે ઢાળમાં ઢાળવામાં આવે તે પ્રમાણે બંગડી, વીંટી, હાર વગેરે આકારમાં તે પરિણામ પામે પણ તેમાં સોનુ તો સોનુ (દ્રવ્ય) જ રહ્યું પણ અવસ્થા બદલાઈ, દ્રવ્ય બદલાતું નથી. જેની અવસ્થા ન બદલાય તે અપરિણામી કહેવાય. જીવ નિગોદમાં પણ પરિણામી અને સિદ્ધ અવસ્થામાં પણ પરિણામી છે. અન્ય દર્શનકારો તે વાત સ્વીકારતા નથી. વેદાંત દર્શન આત્માને કુટસ્થનિત્ય એટલે એમાં કોઈ ફેરફાર ન થાય એમ માને છે એમાં ફેરફાર જો ન થાય તો એને કર્મનો બંધ નથી, તો કર્મથી છૂટવાની વાત વગેરે બધું જ ઊડી જાય, સાંખ્ય દર્શન આત્માને નિર્ગુણ માને છે. આત્મામાં જ્ઞાનાદિ ગુણ નથી પણ પ્રકૃતિમાંથી આવે છે. પ્રકૃતિ નાશ પામે એટલે જ્ઞાનાદિ ગુણો નાશ પામે, તો આત્મામાંથી જ્ઞાન ગુણ ઊડી ગયો. આનંદ ઊડી ગયો તો પછી મોક્ષમાં રહ્યું શું? બૌધ્ધ દર્શન આત્માને ક્ષણિક માને છે. સર્વજ્ઞની દષ્ટિ ન હોવાથી માર્ગની પૂર્ણતા ન આવી, માટે અન્ય દર્શનના સાધકો આગળ જતાં
અજીવ તત્ત્વ 93