SearchBrowseAboutContactDonate
Page Preview
Page 876
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્તિવિશેષણીય–અધ્યાય ૮ મા શારીરિક સવ ક્રિયાઓમાં મુખ્ય કારણ વાયુ જ છે. तेषां समुद्भवे हेतुर्वातादन्यो न विद्यते । तथा कफस्य पित्तस्य मलानां च रसस्यच ॥ ४ ॥ विक्षेपणे संहरणे वायुरेवात्र कारणम् । (શરીરની અંદરના ) ક, પિત્ત (આદિ) બધાયે મળેા તથા રસરક્ત આદિના વિક્ષેપશુમાં તથા સ’હરણમાં એટલે કે તે તે સવ શારીર કફ વગેરે સર્વને શરીરમાં ચાપાસ લઈ જવું કે બહાર ફેંકવુ.-એ ખષીચે ક્રિયાએ કરવામાં કેવળ એક વાસુજ (મુખ્ય) કારણ છે. ૪ | વિવરણ : જોકે પિત્ત અને કફ્ પણ રાગોની ઉત્પત્તિમાં કારણ તેા છે જ, તાપણ તે બધાને આમતેમ લઈ જવામાં તે વાયુ જ મુખ્ય કારણુ છે, વાયુ સિવાયના બધાયે પાંગળા છે; આ સંબંધે કહેવાયું પણ છે કે— પિત્ત પશુ: યા પશુ, પદ્મવો देहधातवः । वायुना यत्र नीयन्ते तत्र गच्छन्ति મેધવત્ ॥ ’–હરકાઈ ચેષ્ટા કરવામાં પિત્ત પાંગળુ છે, ક પાંગળા છે અને શરીરની બધી ધાતુ પણ પાંગળી જ છે; તે બધાંને વાયુ જ્યાં લઈ જાય છે, ત્યાં વાયુથી ઘસડાતાં વાદળની પેઠે તે જાય છે. વધેલા વાયુને કે આછેા કરવા અસ્તિ એ જ મુખ્ય સાધન છે जेता चास्य प्रवृद्धस्य बस्तितुल्यो न कश्चन ॥ ५ ॥ तदुपाधे चिकित्सायाः सर्वे वातचिकित्सितम् । વાયુ જો અતિશય વધી ગયા હોય તે તેને કાબૂમાં લાવનાર મસ્તિ જેવા કોઈ ઉપાય નથી; વાયુની બધી ચિકિત્સાની અર્ધી ચિકિત્સારૂપે કેવળ એક અસ્તિ જ છે. ૫ વિવરણ : વાયુની બધી ચિકિત્સાએમાંથી અધા ચિકિત્સા તે કેવળ એક બસ્તિચિકિત્સામાં જ સમાઈ જાય છે; અર્થાત્ વાયુની બધી ચિકિસાએમાં કેવળ એક બસ્તિકમાં સર્વ વાતચિકિસામેના અર્ધ ભાગરૂપ છે; ચરકના સિદ્ધિસ્થાનમાં પણ સ્તિકર્માંતે વાયુની સ* ચિકિત્સાએાના અર્ધા ભાગરૂપે જણાવેલ છે. ૫ ૮૩૫ મસ્તિના ત્રણ વિભાગા कर्म कालश्च योगश्च तिस्रः संज्ञा यथाक्रमम् ॥ ६ ॥ वक्ष्ये निरुक्तनिर्देशसंख्यादोषविकल्पतः । નિરુક્તિ, નિર્દેશ, સંખ્યા તથા દોષના ભેદ અનુસાર ખસ્તિની ત્રણ સજ્ઞાઓને હવે હું અનુક્રમે કહું છું; તે જેમ કે પહેલી કમસ્તિ, ખીજી કાળબસ્તિ અને ત્રીજી યાગમસ્તિ કહેવાય છે. ૬ પહેલા કમ બસ્તિ પ્રકાર વાદુ. .તેશ વર્મલશિતમ્ ॥૭॥ મસુદ્દીનેવલે નાતે યોગ્ય તથયાવિધિ । જ્યારે કોઈ પણ (ઉપરનેા ) વાતરેગ ઘણા વધી જઈ બળવાન થઈ ગયા હૈાય, ત્યારે બાહુબળને ધરાવતા વૈધે વિધિ પ્રમાણે ક અસ્તિના પ્રયાગ કરવા જોઈએ. ૭ બીજો કાળબસ્તિ પ્રકાર તત્ત્વનાત્ ાહ # દ્વિ મધ્યવહાન્વયે ॥૮॥ पवने पित्तसंसृष्टे विधातव्यो विजानता । જે વેળા મધ્યમ ખળથી યુક્ત વાયુ પિત્તની સાથે સબંધ પામ્યા હાય, ત્યારે વિદ્વાન વૈદ્ય ઉપર કહેલ ક્રમ અસ્તિના કરતાં જેમાં અર્ધો કાળ વીતે છે, તે કાળમસ્તિના પ્રયાગ કરવા જોઈએ. ૮ ત્રીજો ચાગમસ્તિ પ્રકાર अल्पत्वात् स्नेहबस्तीनां युक्तेर्योगः स लाघवात् ॥९ प्रयोज्यः कफसंसृष्टे नातितीव्रबलेऽनिले । જે વેળા અતિશય તીખળને ન ધરાવતા વાયુ કફ્ની સાથે મળ્યા હોય ત્યારે સ્નેહ ખસ્તિઓના પ્રાગૈા આછા હાવાથી અને ઉપર કહેલ ખસ્તિપ્રયાગેા કરતાં જલદી થતા હેાવાથી વૈદ્ય ચેાગમસ્તિના પ્રયાગ કરવા. ( એકંદર વાયુના વધુ પ્રકાપ હેાય એવા વાતરોગમાં કમ બસ્તિના પ્રયાગ કરાય છે; મધ્યમ ખળવાળા વાયુથી યુક્ત પિત્તના રોગમાં કાળમસ્તિનેા પ્રયાગ કરવા જોઈએ; અને જેમાં વાયુનું તીત્ર ખળ ન હાય એવા કફના ઉદરરોગમાં ચેાગમસ્તિ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy