________________
પરંતુ ૧૮ પછીના અધ્યાયનો ૧૯-૨૦ અધ્યાયમાં સમાવેશ કરી લઈ સળંગ અધ્યાયો ગણી લઈને તેને બાવીસ અધ્યાય સુધીને ક્રમ આપ્યો છે. ગ્રંથની છેવટે આ ગ્રંથની પ્રાચીનતા દર્શાવતું પરિશિષ્ટ આપ્યું છે.
આ ગ્રંથ ગુજરાતીમાં પહેલી જ વાર પ્રસિદ્ધ થાય છે. આ અગાઉ આ સંસ્થા તરફથી આયુર્વેદની મૂળભૂત સંહિતાએ સુશ્રુત, ચરક, વાગભટ, ભાવપ્રકાશ, માધવનિદાન, સાગધર, હારીતસંહિતા વગેરે ગુજરાતી ભાષાંતર સાથે બહાર પડી છે, તેમાં આ પ્રકાશનથી એકને ઉમેરે થાય છે.
કાશ્યપ સંહિતાનું આ ગુજરાતી ભાષાંતર તયાર કરાવવામાં ચૌખંબા સિરીજ દ્વારા પ્રકાશિત ઉક્ત ગ્રંથને મુખ્યત્વે આધાર લેવામાં આવ્યો છે. વિવરણ પણ તે અનુસાર આપ્યું છે. તે માટે એ ગ્રંથના અનુવાદક તથા પ્રકાશક મહાદયોને અહીં આભાર માનવામાં આવે છે.
જાણતા વિદ્યરાજ શ્રી રસિકલાલ પરીખનું ગ્રંથનો પરિચય આપતું ઉપયોગી આમુખ-નિવેદન આ પછીનાં પાનામાં આપવામાં આવ્યું છે, તે તરફ વાચક બંધુઓનું ધ્યાન દોરવામાં આવે છે.
- આશા છે કે આ ગ્રંથ અભ્યાસી વૈદ્યો તથા આયુર્વેદ કૉલેજના વિદ્યાર્થીઓ તથા જિજ્ઞાસુઓને ખૂબ ઉપયોગી થઈ પડશે.
વલ્લભવિદ્યાનગર, તા. ૩૦-૬-'૭૦
સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી
એચ. એમ. પટેલ (પ્રમુખ)