SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. યોગશાસ્ત્ર સ્વોપલ્લવિવરણ તથા ધર્મસંગ્રહ જણાવે છે કે અહીં “જાવાસ્તૃતયા જ એ સૂત્રથી પંચમીના અર્થમાં સપ્તમી થયેલ છે. તેથી ચંદ્રોથી પણ વધુ નિર્મળ છે. કારણ કે તેમના સકલ કર્મરૂપી મળનો નાશ થયેલો છે. “હિ નિર્માનયા” એવો પાઠાંતર પણ છે. પ. દેવવંદન ભાષ્ય તથા વંદારવૃત્તિ જણાવે છે કે “સુ' પદમાં પંચમીના અર્થમાં સપ્તમી” વિભક્તિ આવેલ છે. શ્રી તીર્થકર ભગવંતો ચંદ્રોથી વધુ નિર્મળ છે, કારણ કે તેમનું કર્મમલરૂપી કલંક ચાલ્યું ગયેલ છે. ૬. આચાર દિનકર જણાવે છે કે સપ્તમી નિર્ધારણ એ પ્રાકૃત સૂત્રથી “પંચમીને સ્થાને “સપ્તમી આવેલ છે. કેટલાક સપ્તમીની જ વ્યાખ્યા કરે છે “વસુ' નો અર્થ ચંદ્રોથી પણ વધુ નિર્મળ એમ કરવામાં આવેલ છે. આમ “સુ નિર્મનયા' પદ, ચંદ્રોથી પણ વધારે નિર્મળ એ અર્થમાં સિદ્ધ થાય છે. ગpક્વેસુ વાયરા-(સિમ્યોfધ પ્રારા)-સૂર્યોથી અધિક પ્રકાશ કરનારા. ૧. આવસય હારિભદ્દીય ટીકા “પથાયરા' નું સંસ્કૃત “ઘમાસવર:' અથવા “પ્રવાસરા: એમ કરી સમગ્ર પદનો અર્થ કરે છે કે કેવળજ્ઞાનના ઉદ્યોતથી વિશ્વને પ્રકાશિત કરતા હોવાથી સૂર્યોથી અધિક ભાસ કરનારા અથવા તો પ્રકાશ કરનારા. ૨. લલિત વિસ્તરા “પાસપરા' નું સંસ્કૃત “પ્રવેશ:” એ પ્રમાણે કરે છે બાકી સમગ્ર પદનો અર્થ ઉપરોક્ત પ્રમાણે કરે છે. ૩. ચેઈયવંદણ મહાભાસ જણાવે છે કે “લોક અને અલોકનો ઉદ્યોત કરનારા કેવળજ્ઞાનના પ્રકાશ વડે આદિત્યો એટલે સૂર્યો તેમનાથી પણ અધિક પ્રકાશ કરનારા. ૪. યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ, દેવવંદન ભાષ્ય, વંદારવૃત્તિ, ધર્મસંગ્રહ જણાવે છે કે કેવળજ્ઞાનના ઉદ્યોત વડે લોકલોકના પ્રકાશક હોવાથી સૂર્યોથી પણ અધિક પ્રકાશ કરનારા. અને તે જણાવ્યા બાદ આવસ્મય નિસ્તુતિ ની “ફરહિ' એ ગાથા જે કહીને ટાંકે છે. આ રીતે “માફસુ માં વાયરા એ પદ કેવળજ્ઞાનના ઉદ્યોત વડે
SR No.032492
Book TitleJain Dharmma Nam Smaranni Avdharna
Original Sutra AuthorN/A
AuthorManharbala Kantilal Shah
PublisherAntararashtriya Jain Vidya Adhyayan Kendra
Publication Year2008
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy