SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલ્યા ગયા છે. તે વિમલ અથવા જેમના જ્ઞાન આદિ નિર્મલ છે તે “વિમલ'. વિશેષ અર્થ : તીર્થકર માતાના ગર્ભમાં આવ્યા બાદ તીર્થંકરની માતાનું શરીર અને બુદ્ધિ અત્યંત નિર્મલ થયાં માટે “વિમલ. ૧૪. મત-અનન્ત : સામાન્ય અર્થ : અનંતકર્મોના અંશોને જિતે તે અનંત અથવા અનંતજ્ઞાનાદિ ગુણોથી જયવંતા છે તે “અનાજિત.” વિશેષ અર્થ : તીર્થંકર ગર્ભમાં આવ્યા બાદ તીર્થંકરની માતા એ સ્વપ્નમાં રત્નમય, અનંત (અતિશય મહાન) માલા જોઈ માટે “અનંત'. આમ અનંતરત્નોની માળા દેખી એટલે અનંત અને ત્રણ જગતમાં જયવંતા છે. તેથી જીત, અનંત-જિત = “અનંતજિત'. ૧૫. ઘ-ધર્મ : સામાન્ય અર્થ : દુર્ગતિમાં પડતાં પ્રાણીઓના સમૂહને ધારણ કરે તે ધર્મ'. વિશેષ અર્થ : તીર્થકર ગર્ભમા આવ્યા બાદ તેની માતાને વિશેષ પ્રકારે દાન,દયા આદિ (ધર્મવાળા) ધર્મમાં ઉદ્યમી બન્યા માટે “ધર્મ'. ૧૬. સતિ-શાંતિ : સામાન્ય અર્થ : ભગવાનને શાંતિનો યોગ હોવાથી, શાંતિનો યોગ કરાવનારા, શાંતિને કરનારા, અથવા શાંતિસ્વરુપ હોવાથી શાંતિ. વિશેષ અર્થ : તીર્થકર ગર્ભમાં આવ્યા તે પૂર્વે દેશમાં મરકીનો ઉપદ્રવ ચાલુ હતો જે તીર્થકર ના ગર્ભમાં આવતા શાંત થયો માટે શાંતિ. ત્રીજી ગાથાના તીર્થકર ભગવંતનું ચિત્ર પરિશિષ્ટ ન.૧ માં આપેલ છે. ૪.૨.૩ ત્રીજી ગાથાના ભગવંતના સામાન્ય તથા વિશેષ અર્થ ૧૭. ચુંથું-કુછ્યું : સામાન્ય અર્થ : “કુ એટલે “પૃથ્વી તેમાં સ્થિત રહેલ તે “કુ'. વિશેષ અર્થ : તીર્થકર ગર્ભમાં આવ્યા બાદ માતાએ સ્વપ્નમાં મનોહર ઊંચા મહાપ્રદેશમાં રહેલ રત્નમય સ્થંભ જોયો માટે કુછ્યું. ૧૮. -અરે ? સામાન્ય અર્થ : સર્વોત્તમ એવા મહાસત્યશાળી કુળમાં જે પેદા થાય અને તેની અભિવૃદ્ધિ માટે થાય તે “અર'.
SR No.032492
Book TitleJain Dharmma Nam Smaranni Avdharna
Original Sutra AuthorN/A
AuthorManharbala Kantilal Shah
PublisherAntararashtriya Jain Vidya Adhyayan Kendra
Publication Year2008
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy