________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૯૯
(૮) જ્યોતિષશાસ્ત્રની વાતો
ભગવાન મહાવી૨ ઓગણચાલીસમું ચોમાસું મિથિલા નગરીમાં રહ્યા હતા. આ વખતે ગૌતમસ્વામીએ સૂર્ય, ચંદ્ર વગેરેનાં સ્વરૂપ, એમની ગતિ, એમની સંખ્યા, એમની સ્થિતિ, એમના કાર્ય વગેરેને લગતા સંખ્યાબંધ પ્રશ્નો પૂછીને આકાશમંડળમાં બિરાજતા જ્યોતિશ્ચક્ર સંબંધી જ્ઞાન મેળવ્યું. ભગવાને પણ આ પ્રશ્નોના એવા વિસ્તૃત જવાબો આપ્યા કે એના ઉપરથી સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ જેવા આગમગ્રંથોની રચના થઇ.
એ સત્યોતેર વર્ષ જેટલી મોટી ઉંમરે પણ ગૌતમસ્વામીની જિજ્ઞાસા કેટલી ઉત્કટ હતી અને સર્વજ્ઞ ભગવાન પાસેથી એનો ખુલાસો મેળવવા તેઓ હંમેશાં કેવા તત્પર રહેતા, તે આ ઉપરથી પણ જાણી શકાય છે.
(૯) બાળ અતિમુક્તક
ક્યારેક ભગવાન મહાવીર વિચારતાં વિચારતાં પોલાસપુરના શ્રીવન ઉદ્યાનમાં પધાર્યા. એક દિવસ બે પ્રહર દિવસ વીતી ગયો અને ગોચરીની વેળા થઇ, એટલે ગૌતમસ્વામી ભિક્ષાચર્યા માટે નગરમાં નીકળ્યા.
નગરમાં એક ઇંદ્રનું મંદિર હતું. ત્યાં છોકરાઓ રમતા હતા. એમાં એક અતિમુક્તક નામે કુમાર હતો. ગૌતમસ્વામીને જોઇ એને કુતૂહલ થયું. એ રમવાનું મૂકીને એમની પાસે દોડી આવ્યો અને પૂછવા લાગ્યો : “આપ કોણ છો ? અને આ પ્રમાણે શા માટે ફરો છો ?”
ગૌતમસ્વામીએ વહાલપૂર્વક કહ્યું : “અમે નિગ્રંથ સાધુઓ છીએ; તપ અને સંયમનું પાલન કરીએ છીએ; અને નાનાં-મોટાં-મધ્યમ કુળોમાં ભિક્ષાચર્યા કરીને નિર્દોષ આહાર-પાણી મેળવીને અમારી સંયમયાત્રાનો નિર્વાહ કરીએ છીએ.”
અતિમુક્તકના મનમાં જાણે ગૌતમસ્વામી વસી ગયા. ઉંમર નાની અને સમજણ ઓછી હતી, પણ ગૌતમસ્વામીને જોઇને, જાણે કોઇ અદ્ભુત સંગ મળ્યો હોય એમ, એનું ચિત્ત રાજી રાજી થઇ ગયું અને એ એમની આંગળી પકડીને એમને પોતાને ઘેર ભિક્ષા માટે લઇ ગયો. અને જ્યારે ગૌતમસ્વામી ભિક્ષા લઇને પાછા ફરવા લાગ્યા ત્યારે શ્રમણ ભગવાનના દર્શન માટે બાળક અતિમુક્તક પણ એમની સાથે ગયો.
ગૌતમસ્વામી જેવા આંતર-બાહ્ય શુદ્ધ ગુરુનો થોડોક પણ સત્સંગ પામી અને ભગવાન મહાવીરનાં દર્શન કરી અને એમની વાણી સાંભળી અતિમુક્તકના અંતરમાં અજવાળાં પથરાઇ ગયાં. પોતાની ધર્મભાવનાભરી દૃઢતાથી માતા-પિતાની અનુમતિ લઇને, સુખ-વૈભવની લાલસા ઉપર વિજય મેળવીને, કુમાર અતિમુક્તક હંમેશાંને માટે ભગવાનના ભિક્ષુકસંઘમાં ભળી ગયો. (૧૦) ભગવાનના મોક્ષગામી શિષ્યો કેટલા?
મોટી ઉંમ૨ અને ચાર જ્ઞાનના ધારક હોવા છતાં ગૌતમસ્વામી ઉપવાસ જેવું બાહ્ય અને ધ્યાન જેવું આત્યંતર બંને પ્રકારનાં તપ કરતા રહેતા હતા.
એક વાર ગૌતમસ્વામી સમાધિપૂર્વકના ધ્યાનમાં નિમગ્ન હતા, એ વખતે મહાશુક્ર દેવલોકના