SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ શતવહન વંશ અથવા શાતવંશ ટૂંક સાર– ચંદ્રવંશી રાજાઓને જે જુદા જુદા સાત નામોથી ઈતિહાસકારોએ ઓળખાવ્યા છે તે નામોની શુદ્ધિ અશુદ્ધિ બતાવવાને સેવેલ પ્રયત્ન– (૧) પ્રથમ નામ અંધ (૨) અને બીજુ નામ આંધ્ર છે, તેમાં અંધ શબ્દ પ્રદેશ વાચી છે છતાં તેની અદ્યાપિ પર્યત નિર્દિષ્ટ થયેલ હદ અનિશ્ચિત છે તેથી, તેમજ આંધ્ર શબ્દ પ્રજાસૂચક છે તેથી, આ વંશને આંધ્રવંશ કહી શકાય, પરંતુ અંધ ન કહી શકાય; તેની સાબિતી માટે બતાવેલ અનેક શિલાલેખી અને સિક્કાઇ પુરાવા તથા દલીલે– L (૩) શત–એટલે ૧૦૦; આ સાલમાં તે વંશની ઉત્પત્તિ થવાથી તે રાજાઓ શાત પણ કહેવાતા એમ બતાવેલા શાસ્ત્રોક્ત તથા અનેક વિધ પુરાવા-આ ૧૦૦ ને આંક કયા સંવતને હેઈ શકે તથા તે ઉપરથી તેમના ધર્મ ઉપર પડતો પ્રકાશ-(૪) શાત વહન, શતવહન; અને શાતવાહન, શતવાહન-આમાં શત અને શાતની સમજૂતિ, ઉપર નં. ૩માં અપાઈ ગઈ છે. બાકી રહેતા શબ્દમાં, વહન અને વાહનની બતાવવામાં આવેલી શદ્ધિ અશુદ્ધિ-લગભગ દશેક વિદ્વાનોના વિચારો ટાંકી આ વિષય કરાયેલ હોવાથી તેમાંથી ઉભી થતી રસમયતા (૫) શતકરણિ, શાતકરણિ–તેમાં નં. ૪ ની પેઠે પ્રથમાક્ષરો શત અને શાત છેબાકી રહેતો શબ્દ કરણિ અથવા તે ઉપરથી આનુમાનિક કણિ; એમાંથી કયો વ્યાજબી છે, તે તેમના જીવનવૃત્તાંત ઉપરથી વિચારાયું છે, પરંતુ તે એ કે બંધબેસતા થતા ન હોવાથી તેના શબ્દ ઉકેલમાં કાંઈ ખલના થવાની વક્કી છે, અથવા શું શબ્દ હોઈ શકે તેનાં કારણ બતાવી કરેલી ચર્ચા-(૬) શાલિવાહન, શાલવાહન તથા શાલવાન–આ શબ્દ તે વંશના સર્વ રાજાઓને લગાડી શકાય કે તેમાંની કેવળ એકાદ વ્યક્તિને જ (૭) તથા અંધભૂત્યને કે આંધ્રભૂત્યને ઉપયોગ પણ નં. ૬ ની પેઠે અમુક અંશે મર્યાદિત છે કે વ્યાપક છે, તેની કરેલી ચર્ચા-વિદ્વાનોએ અંધભુત્યના અને શુંગભૂત્યના બેસારેલ અર્થમાંથી, દલીલપૂર્વક બતાવી આપેલ સમજૂતિ છેવટે ઉપરના સવ’ વિવેચનને તારવીને આપેલ ટુંક સાર.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy