SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ] · અમરાવતીનુ' આયુષ્ય લેખાવ્યું છે. પર’તુ અમારી માન્યતા એમ છે કે હાલ જ્યાં અમરાવતી ગામ છે તે જ ખરૂં સ્થાન હાવું જોઇએ. તેમજ તે નગરના વિસ્તાર પણ અન્ય રાજનગરાની પેઠે ધણા માઇલામાં પથરાયલ હેવાથી તે સમયે તેને પથારા એઝવાડા તરફની દીશા કરતાં, વરંગુળની દીશા તરફ વિશેષ પ્રમાણમાં હશે. તેના ખડિયામાંથી જે મોટા સ્તૂપ મળી આવ્યા છે તેનું વર્ણન પુ. ૧ માં લખતાં જણાવ્યું છે કે, વિદ્વાનેએ તેને ૌદ્ધધર્મના સ્મારકરૂપ જાહેર કર્યો છે જ્યારે અમારી માન્યતા પ્રમાણે તેને જૈનધર્મના પ્રભાવક રૂપ જણાવ્યેા છે. વળી પુ. ૪ માં કલિંગપતિ ખારવેલનું જીવનચરિત્ર લખતાં જે હાથીગુફાના શિલાલેખને લીધે તેની કીર્તિ સારી વિદુષી દુનિયામાં ઝળકતી અને અમર બનવા પામી છે, તેની સત્તરે (૧૭) પંક્તિના ઉકેલમાં સુધારાને કયાં કયાં સ્થાન છે તે સારી રીતે ફોડ પાડીને વિસ્તારપૂર્વક દલીલ સહીત આપણે સમજાવ્યું છે. તેમાં પણ ખાસ કરીને તે ચતુર્થ વિભાગે પૂ. ૩૧૬થી ૩૨૦ સુધી સર્વ વાંચી જવા ભલામણુ છે.હતા. તેનેા ટૂંકસાર એ છે કે રાજા ખારવેલે સાડીઆડત્રીસ લાખ દ્રવ્ય ખરચ કરીને જે મહાવિજય-મહાચૈત્ય નામે પ્રાસાદ બંધાવ્યા હતા તે જ આ અમરાવતી સ્તૂપ છે. આ અમરાવતી સ્તૂપના પ્રથમ સંશોધક કર્નલ મેકેન્જીએ [જીએ આ. સ. સ. ઈ. પુ. ૧; ન્યુ ઈમ્પીરિયલ સિરિઝ પુ. ૬, ૧૮૮૨. પૃ. ૨૩] તેને જૈનધર્મના દ્યોતકરૂપ ઉચ્ચાર્યાં હતા, પરંતુ પાછળથી વિદ્વાનાએ તે મતને ઉથલાવી નાખી આ ધર્મના જણાવ્યા છે. તે સ્થાને લખેલું અમારું મંતવ્ય, હાથીગુંફાના ઉકેલમાંથી મળી આવતી અન્ય ઐતિહાસિક સામગ્રી ઉપરથી, તથા કર્નલ મેકેન્દ્રએ જે પુસ્તક બહાર પાડયું છે તેના વાંચન ઉપરથી, તથા ધનકટક પ્રદેશની સમયેાચિત ભેગી થયેલ ઘટના અને વસ્તુવર્ણન ઉપરથી, માત્ર કલ્પના કરીને અમે બાંધ્યું હતું. તે ખાદ લગભગ વર્ષ ઉપરના સમય વ્યતીત થઈ ગયા છે, દરમિયાન Warrangul, the capital of Telingana or Andhra=હુ' ધારૂં છું કે એન્નાકટક તે જ તેલ ગણુ અથવા [ એકાદશમ ખંડ કહેવાને સુ થાય છે કે તે અમારી કલ્પનાને ટકા આપનારા શિલાલેખ રૂપી-પૂરાવા મળી આવ્યેા છે. તેનું વર્ણન ઉપરમાં પંચમ પરિચ્છેદે લેખન. ૧૦માં ક।. . . ના આધારે આપવામાં આવ્યું છે. એમાં આ સ્તૂપને ન'. ૧૮વાળા આંધ્રપતિ» મેટી રકમની ભેટ ધર્યાનું કહ્યું છે. એટલે તે ઉપરથી સાબિત થાય છે કે તે રૂપનું મહાત્મ્ય ઈ. સ. ની આદ સુધી પૂરેપૂરૂં જળવાઇ રહ્યું હતું. તેમજ નં. ૧૮ વાળા રાજા પણ ખારવેલના જેવા જ ધ પ્રેમી હતા. આ વાત અહીં રહો; હવે આપણે તે અમરાવતીના આયુષ્ય ઉપર આવીએ. પુ. ૧માં રાજા શ્રેણિક-િિબસારના વૃત્તાંતથી જાણી ચૂકયા છીએ કે, તે ગાદીએ પણ નહેાતા આગ્યેા તે પૂર્વે–ઇ. સ. પૂ. ૫૮૩માં,રીસાઇને તે એન્નાતટ નગરે ચાલ્યેા ગયા હતા. ત્યાં એ અઢી વર્ષ રહ્યો હતા અને એક શ્રૃષ્ટિની સુનંદા નામે કન્યાને પરણ્યા હતેા. તેણીના પેટે મગધ મહામંત્રી અભયકુમારના જન્મ થયા આ શ્રેષ્ટિએ–શ્રેણિકના સસરાએ—તે નગરના રાજદરબારે જે પરદેશી સાદાગરા માલ વેચવા આવ્યા હતા તેના સળે! માલ એકલા હાથે મૂલ્ય ચૂકવીને ખરીદી લીધા હતા. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, જે નગરે તે સમયે પણ, આવી સમૃદ્ધિવાળા ગૃહસ્થ શ્રેષ્ટિએ અનેક સંખ્યામાં વસતા થઇ ગયા હતા તથા જે સ્થળ વ્યાપારનું મેટું સ્થળ બની રહ્યું હતું તેમજ અનેક વણુઝારી સેાદાગરા, વહાણામાં માલ ભરી અવારનવાર તેના કાંઠે ઉતરતા હતા, અથવા ટૂંકમાં કહીએ કે જ્યાં ચેર્યાસીબંદરના વાવટા ફરકી રહ્યો હતા, તેવા નગરની સ્થાપના, નહીંતાયે એ ત્રણ સદીથી તા થઇ ગઇ હાવી જોઈએજ. એટલે કે ઈ. સ. પૂ.ની નવમી સદી ગણીશું. તેની પણ પહેલાં બનવા પામ્યું હતું કે નહીં તે નક્કી કરવાનું, કે ઝાંખા અંદાજ કરવા જેટલું પણ આપણી પાસે સાધન નથી. એટલે આટલા અનુભવથી જ સંતાષ અંધની રાજધાની વર'ગુળ છે,
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy